________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
આ. ૧૯
આ, ૨૦
આ. ૨૧
( ૧૧૭ ) સર્વે આ એક સ્વરૂપી થઈને ચાલશે, રાજા રંક સકલને સરખા હેક નિર્ધાર. સવે આ દુખ બંધનને છેદી નાખશે, ઊંચા નીચાને રહેશે નહીં મન અહંકાર; સહુને ન્યાય થશે સમભાવપણે જગ સારીખે, ટળશે હિંસા ય તથા મનુજ સંહાર. થાશે પ્રજાસંઘનાં રાજ્ય અને સુનીતિઓ, રક્તથી ખરડાશે નહીં સર્વ પ્રજાને સંઘ; રાજા રૈયત સર્વે આત્મરૂપથી એક થઈ, કરશે અરસપરસ સાહાસ્ય ધરી મન રંગ. પ્રભુછ આત્મજ્ઞાનથી બ્રાહ્મણ મુખ્ય કહાવશે, ક્ષત્રી બનીને કરશે સર્વ કર્મ સંહાર જગતમાં ધર્મશૂરાને ક્ષાત્રપણાથી જણાવશે, અંતર વૈશ્ય બનીને કરશે ગુણ વ્યાપાર. કેવલજ્ઞાની બનીને સેવા સહુની સારશે, ગામેગામ કરીને પાદ થકી વિહાર; સેવા ધર્મતણે ફેલાવે કરશે વિશ્વમાં, ચતુવિધ સંઘ બનાવી કરશે જગ ઉદ્ધાર, સાચી ભક્તિ સાચાં કર્મો જ્ઞાને જણાવશે, વિચારે આચારમાં થાશે બહુ ઉદાર; દયાને ફેલાવો કરશે ભારતમાં ભાવથી, ઘરેઘર પંખીઓ માળા કરશે નિર્ધાર. જીતી રાગદ્વેષને દુનિયા કરશે નિર્મલી, આર્યો જેને જિનને અનુસરશે દિનરાત; બ્રાહ્મણ આત્મજ્ઞાનીઓ બનીને વિશ્વ જગાવશે, નવલું રૂડું પ્રગડયું ભારતનું પરભાત,
આ. ૨૨
આ. ૨૩
આ. ૨૪
આ. ૨૫
For Private And Personal Use Only