________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર. આલંબનવડે વિકલ્પરહિત વિર્ય ઉપગની એકાગ્રતાએ ધ્યાન કરાય છે.
એ બે પાયામાં શ્રુતજ્ઞાનાલંબી પાડ્યું છે, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનના ઉપયોગમાં વર્તતે કઈ જીવ ધર્મધ્યાન અને શુકલધ્યાન કરી શકે નહીં. બીજા પાયાના સ્થાનથી આત્મા, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અન્તરાય, એ ચાર ઘાતી કર્મને ક્ષય કરી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે.
૩ ત્રીજા સૂક્ષમ અપ્રતિપાતિ નામના ધ્યાનમાં કેવલજ્ઞાની સૂક્ષમ મન, વચન અને કાયાના વેગને રૂંધે છે, શેલેથી કરણ કરે છે અને અપ્રતિપાતિ નિર્મળ અચલતા રૂપ પરિણામને પામે છે.
૪ ઉછિન્ન ક્રિયાનુવૃત્તિ નામના ચોથા પાયામાં યોગ નિરોધ કર્યા પછી બાકી રહેલી તેર પ્રકૃતિ ખપાવે છે, અકર્મા થાય છે, સર્વપદગલિકક્રિયાથી રહિત થાય છે, સર્વક્રિયાને ઉચછેદ કરી, અક્રિય બને છે અને એક સમયમાં સિદ્ધસ્થાનમાં જઈ સાદિઅનંતમા ભાગે રહે છે. ત્યાંથી કદી સંસારમાં પાછો આવતો નથી. પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એ ચાર પ્રકારનું ધ્યાન કરવાથી આત્મા પિતાના અનંત સદગુણેને પ્રગટ કરી પરમાત્મપદ પામે છે. અરિહંતાદિપદદ્વારા ધ્યાન ધરવું, શરીરરૂપ પિંડમાં રહેલા આત્માનું ધ્યાન ધરવું, કર્મરૂપી છે, તેની સાથે રહેલા આત્માના સ્વરૂપને વિચાર કર, કર્મ રૂપી છે તેનાથી ભિન્ન આત્મા અરૂપી છે. તે અરૂપી આત્માનું ધ્યાન ધરવું, ઈત્યાદિ અનેક પ્રકારના થાનવડે આત્મા, સકલ કર્મનો ક્ષય કરીને અનંત શક્તિ મેળવી સિદ્ધ પરમાત્મા બને છે. ભૂતકાળમાં અનંત જી ધ્યાનના પ્રતાપે મુક્તિ પામ્યા, અને ભવિષ્યમાં પામશે.
इत्येवं ॐ अहमहावीर शान्तिः ३
– @ @ –
For Private And Personal Use Only