SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૬ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાન વિચાર. પુત્ર, મિત્ર અને સ્ત્રીની સ્નેહરૂપડાકણને દૂર કરવા જીવે અશરણુ રૂપ મહાવિદ્યાનું સ્મરણ કરવું-સંસારમાં કે।ઇ પણ જાતની મૂર્છા રાખવી નહીં. જન્મ, જરા અને મરણ, સદા દરેકને પૂઠે લાગી રહ્યાં છે. તે કોઇને છેડતાં નથી. તા હે જીવ! તને કેમ કરી છેડશે ? માટે ધર્મ ધ્યાનમાં તત્પર થા ! અને આત્મસ્વરૂપ વિચાર ! આવે વખત અને આવી જોગવાઇ વારવાર નહીં મળે. પરભ વમાં જે સાથે ખાવાનું ધર્મરૂપ ભાતુ લેવું? હાય તે લઇ લે. મૃત્યુરૂપી બાજ જીવરૂપી ૫ખીને અણધાર્યા પકડી લેશે, તે વખતે ઘસતે હાથે ચાલ્યા જઇશ. માટે હે જીવ! ચેત !! ચત !! ચેત ! ! જરાવાર પણ પ્રમાદ મા કર. એ ત્રીજી અશરણુ ભાવના કહી. ૩ સંસાર ભાવના—બુદ્ધિમાન તેમજ બુદ્ધિહીન, સુખી તેમજ દુ:ખી, રૂપવાન તેમજ કુરૂપવાન, ગરીબ તેમજ રાજા, રાગી તેમજ ભાગી, સ્વામી તેમજ સેવક, વેરી રાજા તથા પ્રજા, દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નારકીના અનેક પ્રકારના વેષાને કર્મ વશપણાથકી ધારણ કરીને આ સંસારરૂપ અખાડામાં આ જીવનાટક કરે છે. તથા મહા આરંભ, માંસ ભક્ષણુ, મદીરાપાન, પરદારાગમન અને દેવદ્રવ્ય ભક્ષણ વગેરે કરીને જીવ, પાપ સ ંચય કરી નરકમાં જઇ પડે છે.ત્યાં નરકમાં અંગ છેદન, અગ્નિથી મળવુ, વગે૨ે મહાદુ:ખ થાય છે; તે દુ:ખાનુ સ થા વર્ણન કેવલી પણ કથન કરી શકતા નથી. કપટને છલભેદથી પ્રાણી તિય``ચ ગતિમાં સિંહ, વાઘ, વરૂ, ભેંસ, ઉંટ, હાથી, ઘોડા, ભૂંડ, સર્પ, મઘર, કુકડા અને કુતરા વગેરેના શરીર ધારણ કરે છે, તથા તે ગતિમાં ક્ષુધા, તૃષા, તાડનતન, વધખ ધન, હળવહન ઈત્યાદિક દુઃખ તે જીવાને સદા સહન કરવાં પડે છે. તથા ખાદ્ય-અખાદ્ય, વિવેક શૂન્યતા, મનમાંહી લાજરહિતપણું, મા બેન અને દીકરી સાથે ગમન કરવું, જ્યાં એક સમાનતા નિઃશ ંકતા વલ્લભ છે. અનાર્ય દેશી મનુષ્યમાં For Private And Personal Use Only
SR No.008559
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy