SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાન વિચાર. જેટલા પદાર્થ દેખાય છે તે સર્વે પગલિકભાવે છે,વિનાશી છે, હે ચેતન? આ શરીરને તું સારી રીતે પુષ્ટ કરે છે, તેમાં રાગ ધરે છે, પણ અંતે મરણ વખતે તારી સાથે આવવાનું નથી, અને બળીને ખાખ થઈ જશે. તે ખાખની માટી થઈ જશે અને લેક ઘર બનાવવાના ઉપયોગમાં લગાશે, માટે તું શું જોઈ મલકાય છે? તું કઈ બાબતને અહંકાર રાખે છે? એવી રીતે સર્વ પદાર્થોનું અનિત્ય પણું વિચારતાં મારા પુત્ર શ્રી આદિ મરી જાય તે પણ મનમાં શોક ધરો નહીં, મૂર્ખજીવ, સર્વ ભાવને નિત્ય માને છે તે જીર્ણ પાંદડાંની ઝુંપડીને પણ નાશ થવાથી રાત્રી દિવસ વિલાપ કરે છે, સૂર્ય રાહુ ગ્રહણ દેખી જેમ કીર્તિધર રાજાએ સંસારનું અનિત્યપણું ભાવ્યું, તથા બળદને ઘરડે દેખી જેમ કરઠંડુરાજાએ સંસાર સ્વરૂપ અનિત્ય વિચાર્યું, તેમ ભવ્ય પ્રાણીઓએ સંસાર સ્વરૂપ અનિત્ય વિચારવું. ઈંદ્ર, ચંદ્ર, નાગે, ચક્રવત્તિ, વાસુદેવ, બળદેવ, રામ, રાવણ, વાલી જેવા મહા બળવાન પુરૂષે પણ અનિત્ય રાક્ષસના ભક્ષ થયા તે તારા જેવા પામર જી, કાલના સપાટામાં આવે એમાં શું કહેવું ? એમ પહેલી અનિત્ય ભાવના ભાવે. ૨ અશરણ ભાવના–માતા, પિતા, ભાઈ, બેન, પુત્ર, કલત્ર આદિ સગાં વહાલાંનું વિદ્યમાનપણું છતાં આધિવ્યાધિથી સપડાએલા જીવને કાળ પકડી જાય છે. મતલબ કે માતા પિતા વિદ્યમાન છતાં આયુષ્ય પૂરું થાય એટલે કર્મના વશપણાથકી પરગતિમાં જીવ ચાલ્યા જાય છે, કઈ રાખી શકતું નથી, કોઈ આડું થતું નથી અને મરતી વખતે જીવને દુ:ખ પડે છે, અને તેથી અરરાટ શબ્દ કરે છે, તે દુ:ખ સગાં વહાલાં વહેંચી લેતાં નથી, મતલબ કે-કોઈનું દુખ કેઈ વહેંચી લેતું નથી. તથા વિચારી જુઓ કે-દ્વારિકા જેવી નગરી કૃષ્ણ જેવા વાસુદેવ, બળભદ્ર જે બળદેવ અને નેમિનાથ તીર્થકર સરખા તેને માથે ધણું વિદ્યમાન હતા તો For Private And Personal Use Only
SR No.008559
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy