SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધાર્મિક ગદ્યસ’ગ્રહ. દેશ આપે છે તેના ઉપદેશની અસર થઇ શકતી નથી. જે સાધુઓના હૃદયમાં ઉચ્ચ વિચાર। નથી અને કહેણી પ્રમાણે રહેણી નથી તેના ઉપદેરાતી અન્ય લેાકાને અસર થતી નથી. જે સાધુએ પુસ્તકો વાંચીને સત્યના નિર્ધાર કરી શકતા નથી તે અન્યોને પેાતાના વિચારા અર્પી શકતા નથી. જે સાધુએ ક્રિયાકાંડમાંજ સંકુચિત દૃષ્ટિથી ગુંથાઇ જતે એકાન્ત ઉપદેશ આપે છે તેઓના ઉપદેશની અસર અન્યાને થતી નથી. જે સાધુએ સભાની પરીક્ષા કર્યાં વિના ગમે તેવું મેલ્યા કરે છે. તેઓના ઉપદેશની અસર અન્યાને થતી નથી. જે સાધુએ ખરૂં કહેતાં ભય પામે છે તેએાના ઉપદેશની અન્યને અસર થતી નથી. જે સાધુએ શુપ્રેમ, મૈત્રી ભાવના, ગુણાનુરાગ દૃષ્ટિ, પરાપકાર, દયા, સત્ય, અને વૈરાગ્ય આદિ ગુણાથી હીન હોય છે તેના ઉપદેશની ખરેખરી અસર થતી નથી. જે સાધુના હૃદયમાં નિન્દા, ઇર્ષ્યા, ક્રોધ–વેર-ઝેર, લાભ, અને સ્વા વગેરે દુગુણા હોય છે તેઓના ઉપદેશની અન્યાને અસર થઇ શકતી નથી. જે સાધુએ ભકતાને પરસ્પર લડાવી મારે છે અને પેાતાને પક્ષ બાંધવા યત્ન કરે છે તેના ઉપદેશની લેાકા ઉપર અસર થઇ શકતી નથી. જે સાધુએ પેાતાનું ગાયા કરે છે અને અન્યાના શુભ વિચારાને પણ સહી શકતા નથી તેએાના ઉપદેશની લોકોના ઉપર અસર થઇ શકતી નથી. જે સાધુએ મ્હારૂં તેજ સારૂં' અને અન્યાનુ સાચુ તે પણ ખાટુ કરાવવા પ્રયત્ન કરે છે અને લાકામાં ક્લેશ ફેલાવે છે તેના ઉપદેશની અન્યાના ઉપર અસર થતી નથી. અનેકાન્ત માર્ગ ધ્યાનમાં રાખીને જે ઉપદેશ આપે છે અને જેએ સદ્ગુણીના સ્થાનભૂત હાય છે તેઓના ઉપદેશની લાકા ઉપર અસર થાય છે. મનુષ્યે સર્વે એક પ્રકારના હોતા નથી. કાઇમાં બ્રહ્મચર્યના ગુણ્ હોય છે તેા સત્ય હાતુ નથી. કોઇનામાં સત્ય ખેાલવાન! ગુણ હોય છે પણ બ્રહ્મચ હેતુ નથી, કોઇમાં દાનગુણુ હોય છે પણ ક્રાધના સ્વભાવ હોય છે. મનુષ્યમાં સર્વ ગુણા હોય અને કોઇ પણ પ્રકારના દેષ ન હોય એમ હાલના કાલમાં બની શકે નહિ. મનુષ્ય માત્રમાં કોઇ પણ જાતના ગુણ તે હાયછેજ. સન્ત પુરૂષો મનુષ્યના ગુણેને દેખે છે અને તેએ અવગુણેને જાણે છે છતાં તે તરફ લક્ષ આપતા નથી. સત્પુરૂષ હંસની દૃષ્ટિ ધારણ કરીતે ગુગ્રાની તરફ દેખે છે. સદ્ગુણેાની તરફ લક્ષ આપવાથી ઉત્તમ થવાય છે. જેની સાથે બેસવામાં આવે, જેની સાથે વાત કરવામાં આવે તેની પાસેથી ગુણ પ્રહણ કરા. મનુષ્યા પ્રાયઃ અવગુણા તરફ વળો આપીને For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy