________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વક્તવ્ય,
પ્રાતઃસ્મરણિય સદ્દગુરૂદેવ આચાર્ય ભગવાન શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી એમના સ્વર્ગગમનના સમણુંથે પ્રકટ થતે આ
સ્મારક ગ્રંથ વાંચકોના કરકમળમાં મુકતાં સંતોષ ઉપજે છે.
ગુરૂદેવના સ્વર્ગગમન પછી સત્વરજ આ ગ્રંથ પ્રકટ કરવાના વિચારો જ્યારે અમે પ્રકટ કર્યા, ત્યારે તેને માટે આટલું બધું સામે હિત્ય જાહેર પ્રજા પુરૂ પાડશે એવી કલ્પના ન હતી. પ્રસંગની પણ રાહ જોવી ઈષ્ટ જણાયું અને જ્યાં ત્યાં ગુરૂભકતે તરફથી પાદુકાની પ્રતિષ્ઠાએ, મહત્સ, સમાધિમંદિરનાં ખાતમુહુતે વિ. થવાના સમાચાર મલવા લાગ્યા. મહેસાણાએ તો સૌથી પહેલ કરી અને ગુરૂશ્રીના સ્વર્ગગમનથી બરાબર પંદરમેજ દિવસે, સ્વર્ગગમનનાજ સમયે શ્રી ગુરૂદેવની પાદુકાની પ્રતિષ્ઠા કરી. તે પછી અમદાવાદ, પ્રાંતીજ આદિ સ્થળે એને પેથાપુર વિજાપુરમાં સમાધિમંદિરનાં ખાતમુહુર્તે થયાં અને કામ ઝડપથી ચાલવા લાગ્યાં. દરમીયાન ગુરૂશ્રીના જીવંતસ્મારકની ચેજના થડાઈ અને મારા પુત્ર મણુલાલ પાદરાકરે તે બાબત ગુરૂભકિતથી પ્રેરાઈ ઉપાઠ લીધી અને તે બહાર નીકળી પડયા અને ટુંક સમયમાં સારી રકમ મેળવી પાછા ફર્યા. છતાં કામ તે ચાલુજ હતું. એટલામાં શ્રી સદગુરૂદેવનું સમાધિમંદિર તૈયાર થઈ જવા આવ્યું અને ફાગણ સુદ ત્રીજની પ્રતિષ્ઠા કરી, ત્યારે અમારે આ ગ્રંથ માટે તાબડતે તૈયારીઓ કરવાની ફરજ પડી અને આ કામ ઉપડયું. જો કે મારી નાદુરસ્ત પ્રકૃતિના લીધે તે સંતોષકારક તે નહિંજ જણાય.
- ધારણા હતી કે ૧૫ થી ૨૦ ફર્માને આ અંક થશે. છતાં પ્રેસમાં જતાં મેટર તે પ૦ થી ૬૦ ફર્મા જેટલું થયું. સમય ઘણેજ
કે અને મર્યાદીત સમયમાં આ ગ્રંથ પ્રકટ કરવાની ધારણા ? આમ છતાં ગમે તેટલે ખર્ચ કરીને પણ તે પ્રકટ કરવા નિશ્ચય કર્યો ને કામ શરૂ કર્યું.
For Private And Personal Use Only