________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના
समुल्लासः जन्मांतर संस्कारात्, स्वयमेव किल प्रकाशते तचं, । सुप्तोत्थितस्य पूर्व, प्रत्ययवन्निरुपदेशमपि ॥
જેમ નિદ્રામાંથી ઉઠેલા મનુષ્યને પૂર્વે (સૂતા પહેલાં) અનુભવેલાં કાર્યો ઉપદેશ વિના પણ યાદ આવે છે તેમ જન્માંતરના સંસ્કારવાળા રોગીને કોઈના ઉપદેશ સિવાય સ્વયમેવ તત્ત્વજ્ઞાન પ્રકાશિત થાય છે.
ગશાસ્ત્ર–શ્રીમદ્ હેમચંદ્રસૂરિજી ભારત વર્ષમાં સર્વ દર્શનમાં સાહિત્યનું ઉચ્ચ સ્થાન છે. સાહિત્ય મનુષ્યને માનવતા શીખવે છે. એટલું જ નહિ પણ નીતિ અને ધર્મને અનુસરતું સાહિત્ય બરાબર અધ્યયન કરવામાં આવે તે તેમાં આવેલી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સંપત્તિએ મનુષ્ય પોતાના જીવનમાં સમન્વિત કરે અથવા દોષ દષ્ટિ તજીને ગુણોનો આદર કરે તે મનુષ્ય સંસ્કારી બને છે. સંસ્કાર, જીવનનું ઘડતર કરે છે. અને તે દ્વારા ધર્મબુદ્ધિ જાગ્રત થવાથી આત્મા પોતે પિતાના ગુનો વિકાસ કરી આદર્શ મનુષ્ય બને છે.
ખાસ કરીને સાહિત્ય સૃષ્ટિમાં જ્યારે ધાર્મિક ભાવના ઓતપ્રોત થયેલી હોય છે ત્યારે તે સાહિત્ય અનેક આત્મા
For Private And Personal Use Only