________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
છતાંય દિલ પર પથ્થર મુકી જીવનને જરાય બગાડ્યા વિના, આત્માને જરાય ગંદા કર્યા વિના તેમણે જીવનના કાર્યો કરવા માંડ્યાં.
બીજું લગ્ન કર્યું. કુદરતને એ પણ મંજુર ન હતું. અને તે લગ્ન પણ મરી ગયું ........વહાલસોયી બબ્બે પત્નીઓને તેમણે સગી આંખે વિદાય આપી. અને જીવનમાં મૃત્યુનું દારૂણ દુઃખ ભરીને તેમણે શ્રી મેનાબેન સાથે ત્રીજું લગ્ન કર્યું.
કુદરત કંઈક હવે શાંત બની હતી. આજે તેમના તે પત્ની હયાત છે. પરંતુ કુદરત ડંખ ભૂલી ન હતી. તેમને એકેય સંતાન ન થયું. અને સદૂગત બિનવારસ જ વિદાય થઈ ગયા !...
જીવનને સદાય ઉદાસ કરી નાખે તેવી મૃત્યુની ત્રણ ત્રણ મુલાકાતે, ઊર્મિઓની એ નિષ્ઠુર મશ્કરીએ, અરમાનોની એ નિર્દય મજાકે અને સંતાનની અતૃપ્ત આશા-ભીતરની આવી ભંગાર જિંદગી છતાંય શ્રી વાડીલાલે કર્મની જ એ ઘટના છે એમ માની હસતી આંખે ને અંતરના ઉત્સાહથી જે સામાજિક જીવન ગુજાર્યું છે, સમાજ પ્રત્યેનું જે ખંત ને નિષ્ઠાથી કાણુ અદા કર્યું છે અને અતિ શ્રીમંતાઈમાં પણ સદાય જાગૃત રહી જે પવિત્ર ને સેવાભાવી જીવન ગાળ્યું છે એ ખરેખર એક નવલકથાને મશાલે બની શકે તેમ છે.
For Private And Personal Use Only