________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિરૂદ્ધ લખાયું હોય તેને ચતુર્વિધ સંઘ આગળ મિથ્યાદુષ્કૃત દઉં છું અને તેમાં જે કંઈ અસત્યતા આવી હોય એમ સંઘને લાગે તે સંઘ જે ભાગ અસત્ય ઠરાવે તે માટે પણ પ્રમાણ છે એમ પ્રથમથી જણાવું છું. ગીતાર્થો અધ્યાત્મજ્ઞાન દષ્ટિની અપેક્ષાએ બાહ્યાના પદાર્થોને અંતરમાં ઘટાવે છે. શ્રી ઉપાધ્યાયજીએ પણ ધર્મપરીક્ષા ગ્રન્થમાં તે માટે નીચે પ્રમાણે જણાવ્યું છે.
यथा ॥ अप्पा नइ वेयरणी, अप्पा मे कुडसामली । अप्पा कामदुहाधेणू, अप्पा मे नंदणं वणम् ॥ १ ॥ इन्द्रियाण्येव तत्सर्व यत्स्वर्गनरकावुभौ निगृहीतविशिष्टानि, स्वर्गाय नरकाय च ॥ २ ॥
ઈત્યાદિ અનેક બાબતેની સાક્ષીએ આપી શકાય તેમ છે. આત્મા જ પંચપરમેષ્ઠી છે. આ તેજ રાગ ષ જીતવાથી વ્યક્તિભાવે મહાવીર બને છે અને રાગદ્વેષ ન છતાય ત્યાંસુધી સત્તાએ મહાવીર છે. પશમજ્ઞાન ધ્યાનની ક્ષપશમ ભાવનાએ જે કાલે જેવી હૃદયમાં પ્રગટી છે તેવી લખી દીધી છે-એમ કેટલાંક આધ્યાત્મિકહાર્દિકફુરણાત્મક પદ ભજનમાં બનેલું છે. અમારે અભિપ્રાય-આશય ખરેખર ગીતાર્થો સમજી શકે છે. વ્યવહારનય અને નિશ્ચયનયની માન્યતાઓ અને સર્વથા જેનાગમના આધારે માન્ય છે. અમારામાટે હૃદયમાં જે ભાવ નાઓ ફરાયમાન થઈ તે કંઈ તે દશાવિનાના અધિકારીઓ માટે નથી. કેટલાંક વર્ષોથી મારા મનમાં એ વિચાર "પ્રગટે છે કે મુસભામાં જેમ એક અલ્લા, પ્રીતિમાં એક ઈશુ ક્રાઈસ્ટ, તથા હિંદુઓમાં રામ તથા કૃષ્ણ તથા ખાદ્ધોમાં એક બુદ્ધનું જેમ જગતમાં જાહેરનામ છે અને દુનિયાને મોટેભાગ, તેઓના દેને જાણે છે તેમ ચોવીશ તીર્થકરે પિકી રામતીર્થકર મહાવીરદેવને સર્વવિશ્વમાં પ્રસિદ્ધ કરવા. ચેવશમા તીર્થંકર મહાવીર પ્રભુનું હાલ જૈનશાસન પ્રવર્તે છે અને તેજ સંપ્રતિ પરમેપકારી તીર્થકર છે, તેથી તેમના નામને સર્વત્ર પ્રચાર કરવો. તેમના
For Private And Personal Use Only