________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acharya s
રાજ્યદ્રોહ થાય વિનાશ, રાજદ્રોહ ત્યાં દુઃખ વિલાસ પ્રજારાજ બે રાજ્ય ગણાય, બેના નાશે રાજ્ય વિલાય. ૧૦૫ પ્રજા સલાહે રાજા થાય, પ્રજા પ્રેમથી ભૂપ ગણાય; વંશપરંપર ભૂપ ન હોય, ગુણ કમેં નૃપતિપદ જેય. ૧૦૬ યુગે યુગે નીતિ ભિન્ન, જેથી થાય ન રાજ્ય જ છિન્ન. કલિયુગમાં કલિના અનુસાર, પ્રજા રાજ આચાર વિચાર. ૧૦૭ જે યુગમાં જેથી છવાય, તેવી નીતિ વર્તાય. રાજ પ્રજા બને થે એક, કરે રાજ્યનાં કર્મ વિવેક. ૧૦૮ પરતંત્રતા જ્યાં ત્યાં થાય, સ્વતંત્રતા પણ રાજ્ય હણાય; મુજ ઉપદેશે વર્તે જ્યાંય, જૈન ધર્મ સામ્રાજ્ય જ ત્યાંય. ૧૦૯ જૈન ધર્મથી રાજ્ય ન ભિન્ન, ત્યાં નહિ રાજ પ્રજા કે દિન; દેશકાલ અનુસારી નીતિ, જૈન ધર્મ સામ્રાજ્યની રીતિ. ૧૧૦ સત્તાઓના ચોગ્ય વિભાગ, વહેંચાતા ગુણ સ્વાર્પણ ત્યાગ; જેના લાયક જે જન હોય, તેના લાયક તે પદ સંય. ૧૧૧ લાયકને લાયક જ્યાં માન, રાજ્ય કર્મમાં થાય ન હાનિ; દુષ્ટ જનેનું જોર ન થાય, સજજનની શક્તિ વર્તાય. ૧૧૨ રૂશ્વત લેવે દેવે ન કેય, પક્ષપાતની ખેંચ ન હોય. રાજાદિકનું તરતભમાન, સર્વલોકમાં સાચું જ્ઞાન. ૧૧૩ હાય પરસ્પર સ્વાર્પણ સહાય, ઉલંઘે નહિ કે ન્યાય; એવું રાજ્ય પ્રવર્તે જ્યાંય, જીવક રાજન સુખડાં ત્યાંય. ૧૧૪ જન પશુ પંખી હિંસા ત્યાગ, પુણ્યકર્મ પ્રવૃત્તિરાગ; કજીયાકારક લેક ન જ્યાંય, સંપ વધે ત્યાં રાજ્ય સહાય. ૧૧૫ અધિકારી જ્યાં ભૂપતિ થાય, સર્વ પ્રજાથી જે ઈચ્છાય; તે રાજા થાવાને મેગ્ય, બીજાને નહિ રાજ્ય જગ્ય. ૧૧૬ અધિકાર વણ ભૂપતિ થાય, ગુણ કર્મોવણું હાંસી થાય, મનમાં થાવું રાજા સહેલ, પણ ગુણ કમથી મુશ્કેલ. ૧૧૭ દુષ્ટ પ્રજાને ભૂપ જે થાય, અંતે તે મનમાં પરતાય; પ્રજા ભલી નહિ રાજા દુષ્ટ, બને અંતે થાય ને પુષ્ટ. ૧૧૮
For Private And Personal Use Only