________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
મહિનાથ સ્તવન. આ મલ્લિનાથ તવ રૂપમાં, પ્રેમ અવિહડ લાગે; નામ રૂપ નિરહંપણે, ભાવ અનુભવ જાગે. મલ્લિ ૧ પ્રેમ ખુમારી અટપટી, લાગે તે જન જાણે, અનામી પ્રભુ નામને, શુદ્ધ ધ્યાનમાં આણે. મલિ ૨ પ્રેમે મમતા ન પ્રાણની, શૂન્ય જગ સહુ લાગે, પ્રેમ સમાધિમાં તન્મયે, વ્યારા ઝટપટ જાગે. મલ્લેિ ૩ તવ પ્રેમ ખૂબી ઓર છે, મરતાને જીવાડે; આપ આપ સ્વરૂપની, જ્યોતિએ તું જગાડે. મલ્લિ ૪ લાગ્યો રંગ જે પ્રેમને, મ્હારી સાથ ન છૂટે; પીધે ગાલે પ્રેમને ભરી ગુણ ગણ દાટે. મલ્લિ ૫ રૂપાતીત તવ રૂપમાં, તાન લાગ્યું મઝાનું, કોટી ઉપાયે કેળવે, રહે નહિં કદી છાનું. મલ્લેિ ૬ તવ પ્રીતિના કાનમાં, ભાન ભૂલ્યો પરાયું; બુદ્ધિસાગર ભક્તિમાં, ચિત્ત પૂર્ણ છવાયું. મલ્લિ ૭
૩ શાન્તિઃ રૂા.
મલ્લિનાથ ૧
* માષ્ટ્રિનાથ તા. મલ્લિનાથ તવ પ્રીતની, રીત છે કંઈ ન્યારી, પ્રાણાર્પણ કરવું પડે, મમતા સર્વ વિસારી. મરજીવા થઈ મેળમાં, સાચા ભાવે રહેવું સાક્ષી ભાવે સહ વિશ્વમાં રહેવું લેવું ને દેવું. સુરતા ધારી પ્રભુ સાથમાં, કેમેં બાહ્યનું કરવું? પ્રભુના શુદ્ધ સ્વરૂપને, નિત્ય ચિત્તમાં સ્મરવું. ચિત્ત રહે પ્રભુ પાસમાં, ચેન લાગે ન જગમાં; પ્રભુ રૂપ પ્રેમ ખુમારીનું, તાન વહે રગેરગમાં.
મલ્લેિ ૨
મલ્લિ ૩
મલ્લિ ૪
For Private And Personal Use Only