________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ત્રીજી આવૃત્તિ.
સર્વ જનને આત્મિક આનંદ આપતો અને સોધ વડે સગુણોને પ્રગટાવતો આ ભજનપદસંગ્રહ નામે ગ્રન્થ, કે જે ગુજરાતીમાં મહુમા શેઠ લલ્લુભાઈ રાયજીએ સને ૧૮૦૭ માં પ્રગટ કર્યો હતો ત્યાર બાદ તેની બીજી આવૃત્તિ બાળબોધ લીપીમાં સાણંદના જૈન મંડળે પ્રગટ કરી હતી તેની ચાલુ માગણી રહેવાથી તેજ ગ્રન્થને ગુજરાતી લીપીમાં ત્રીજી આ વૃત્તિ રૂપે પ્રગટ કરી જનસમાજ આગળ મુકવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે - ભજનપદ સંગ્રહ ભાગ ૧ લા તથા બીજા પૈકી આધ્યાત્મિક પદોને એક જુદા પુસ્તક રૂપે ૨૦૦૦ પ્રત પ્રગટ કરી તેને અધ્યાત્મ ભજન સંગ્રહ નામ આપવામાં આવ્યું હતું. તે સાથે ૪૦૦૦ નકલ આ પ્રથમ ભાગની સર્વ પ્રજાએ હોંશથી ઉપયોગમાં લીધી છે. આ રીતે મંડળે પ્રગટ કરેલા સાતે ભાગની બીજી અનેક આવૃત્તિઓ પ્રગટ થાય અને તેને યોગ્ય લાભ લેવાય તેવી ઈરછા રખાય છે.
જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજીના સ્વરચિત અનેક ગ્રન્થમાં ભજનપદ સંગ્રહને હિસ્સો મોટો છે, અર્થાત સાત ભાગ પ્રગટ થઈ ગયા છે અને તે દરેક એક એકથી ચડીયાતા છે.
જીવોની રૂચિ કંઈ એક સરખી હોતી નથી, તેમ દરેક ગ્રન્થ માટે અધિકારી પણ જુદા હોય છે. પણ આ પ્રથમ ભાગ તે જૈન અને જૈનેતર પ્રજાને-બાળ અને વૃદ્ધ–સામાન્ય જ્ઞાન અને વિશેષ જ્ઞાનવાળા-દરેકે દરેકને એકરૂપેજ પ્રિય થઈ પડે છે.
આ ત્રીજી વખતની આવૃત્તિમાં સુધારા વધારા શ્રી જૈનાચાર્ય બુદ્ધિસાગરજી ગુરૂ મહારાજે પિતાના હાથે જ્યાં કરે ઘટે ત્યાં કર્યો છે. પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવનાદિ તરફ ધ્યાન ખેંચી વાચક જનેને આવા પ્રત્યે પૈકી ઘણું પદ કંઠસ્થ કરી, પોતે આમિક લાભ લેવા અને અન્યને આપવાને ભલામણું કરી વિરમીશું.
શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરીશ્વર સિવાય આ. ય, વિ. આદિ જે મહાપુરૂષોનાં પદો આ ભાગમાં લીધેલ છે તે આ સાંકળીયામાં સ્પષ્ટ સમજાય તે માટે તેનાં નામ આપેલાં છે.
૮મું તથા ૮૪મું પદ નજર ચુકે ફરીથી ૨૩૭ તથા ૨૩ મું લેવાયું છે. તથા ૨૨૪ ની સંખ્યા બે પદ ઉપર થઈ ગઈ છે અને ૩૩-૩૪-૩૫-૩૬ એ ચાર પદ રહી ગયાં છે તે વચમાં લીધેલ છે. મુંબાઈ
લી. પિશ સુદ ૧ સં. ૧૮૭૨. I અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ
For Private And Personal Use Only