________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अमदावादी शेठ लालभाई दलपतभाइ अने तेमनी माता गंगा शेठाणी श्राविकाने
अर्पण पत्रिका.
અમદાવાદ એ ગુજરાતનું પાટનગર છે. જેના કામનું તે રાજનગર છે. સક્લ હિંદમાં વેતાંબર જૈનોનું મુખ્ય ધામ હાલ અમદાવાદ છે. અમદાવાદમાં નગરશેઠ, શાંતિદાસ ઓશવાળ પ્રખ્યાત થયા, તેમને ઈતિહાસ અ.ગ્રા. પ્ર. મંડલ તરફથી બહાર પડ્યો છે. અમદાવાદમાં હેમાભાઈ શેઠે પિતાની યાદગીરી કાયમ રાખી છે. હેમાભાઈ ઈન્સીટયુર તથા પાલીતાણામાં ડુંગરપર હેમાભાઈની ટુંક તથા હેમાભાઈની ધર્મશાલા વગેરેથી અક્ષરદેહે હેમાભાઈ અમર છવા થયા છે. શેઠ હેમાભાઇના સહચારી હઠીશંગ શેઠે પણ હેમાભાઈની પેઠે સંધ, વાડી, દેરાસર તથા ધર્મશાળાથી પોતાનું નામ અમર કર્યું છે. શેઠ લાલભાઈ નગરશેઠના કુટુંબી અને તેમના પિતા, શેઠ દલપતભાઈ ભગુભાઈ બાહોશ વ્યાપારી હતા. શેઠ દલપતભાઈ વિજાપુરમાં શેઠ જનાશા પિતાંબરની બેન વીજબેન ઉફે ગંગા શ્રાવિકાની સાથે પરણ્યા હતા. ગંગાબેનનો જન્મ હઠીભાઈની વાડીમા અંજનશલાકા થઈ તે પહેલાં એક બે વર્ષે થયો હતો. ગંગાબેન શેઠાણીનાં કુંકુમ પગલાંથી તથા ગુરૂ મહારાજ શ્રી નેમિસાગર ગુરૂના આશીર્વાદથી શેઠ દલપતભાઈ, લક્ષાધિપતિ થયા, અને તેમણે વિ. સં. ૧૯૨૦ લગભગમાં પોતાના નામે વડે કરાવ્યો અને તે હાલ દલપતભાઈ ભગુભાઈના વંડાના નામથી પ્રસિદ્ધ છે. શેઠ લાલભાઈ દલપતભાઈને જન્મ વિ. સં. ૧૯૧૯માં થ, શેઠ દલપતભાઈએ તેમને વ્યાવહારિક તથા ધાર્મિક કેળવણી આપવામાં ખામી રાખી નહોતી. શેઠ દલપતભાઈએ વિ. સં. ૧૯૨૧માં પાલીતાણા સિદ્ધાચલનો સંઘ કહાડ્યો, અને શેઠ નરસિંહ કેશવજીએ કરાવેલ અંજન શલાકામાં પોતે કરાવેલ ૪૫-૫૦ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. તથા તેમણે તે સાલમાં સારું ઉજમણું કર્યું. શેઠ દલપતભાઈની જેન દેવગુરૂ ધર્મપર અડગ શ્રદ્ધા હતી તથા તેમના પર શ્રી નેમિસાગરજી, શ્રી રવિસાગરજી, શ્રી બુ રાયજી, શ્રી આત્મારામજી વગેરેના ધાર્મિક ઉપદેશની સારી અસર થઈ, શેઠ દલપતભાઈને પાલીતાણા તીર્થની રક્ષા સેવાભકિતની સારી લાગણી હતી, શેઠ દલપતભાઈની પત્ની શેઠાણી ગંગાબેન તરફથી એક મોટું બીજું ઉજમણું
For Private And Personal Use Only