________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના
આપણા ભારતવર્ષના કેન્દ્ર સ્થાનરૂપ ગુર્જર ભૂમિના સુભાગ્યે હમણું થોડાંક વર્ષો થયાં સાહિત્ય પરિષદોએ દેખાવ દીધું છે અને તેના સર્ભાવે કંઈ કંઈ સાહિત્ય ક્ષેત્રમાં એર ઓર પ્રકારને ઉમેરે પણ થવા લાગ્યો છે તે એક આનંદની વાત છે. અમારા જૈન સાહિત્યાભ્યાસી બંધુઓ જાણીને ખુશી થશે કે હવે આપણે પડઘે વિસ્તૃતપણે આપણી ગુર્જર સાહિત્ય પરિષદમાં પડવા લાગે છે અને આપણા જે મહાન મહાન પૂર્વાચાર્યોએ રાસા વિગેરે રચી જૈન સાહિત્યની જે અપૂર્વ સેવા બજાવી છે, તેની આપણું જનેતર સાક્ષરવિધાને એ પણ ઘણી જ સારી રીતે કદર પીછાની છે એ જોઈ કયા જૈન બંધુઓને હર્ષનાં આંસુ આવ્યા સિવાય રહેશે!
પરમપૂજ્ય શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય યોગનિઝ બુદ્ધિસાગર સૂરિજી કે જેઓ સાહિત્યના ક્ષેત્રમાં પિતાની યથાશક્તિ સેવા બજાવે છે તેને માટે તેઓ સાહેબની જન કેમ ઋણી છે. વડોદરાની એથી સાહિત્ય પરિષદ વખતે તેઓશ્રીને સાહિત્ય પરિષદમાં રાજ્ય તરફથી જાતે પધારવાને આમંત્રણ કરવામાં આવ્યું હતું તે જ તેમના સાહિત્ય વિલાસની આપણને ઝાંખી કરાવે છે. આ પુસ્તક પણ તેઓશ્રીના સાહિત્ય પ્રત્યેના પરિશ્રમને જ આભારી છે. અમારા દરેક વિધાન મુ. નિરાજોને આ દિશામાં પ્રયત્ન કરવાને અમે વિજ્ઞપ્તિ કરીએ છીએ.
આ પુસ્તકની અંદર શ્રી વિજયસેન સરિકૃત આત્મશિક્ષાના અંગે બનાવેલ ૨૩૮ દુહા છે જે વાંચતાં વાચકનાં રોમાંચ ખડાં થાય તેમ છે તેમજ તેમાંથી સંસારના અનિત્ય સુખનું ઘણું જ સ્કુટ રીતે ભાન કરાવી આત્મસમાં નિમગ્ન કરાવે તેવા તે દેહરા છે. વળી શ્રી મણિ
For Private And Personal Use Only