________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩ દ્રવ્યભાવ પરિણામ ચરણકે, દક્ષિણ ઉત્તરશ્રેણિક જસકર વિદ્યાધરપદ પાયે, યાગતિ પાઈ કેણિ. દર્શન જ્ઞાનચંદ્ર રવિચન, સ્થિરતા કમલા કંથ; સુખસાગરમેં મગન રહતુહે, હમ હરિલછનવંત. અધ્યાતમ કૈલાસવિરાજે, વૃષભસભા ઉરંગ; વિરતિ ચતુરતા ગંગારી, સેવિત શંકર રંગ. તેથી સકલ કળાને ધારણ કરનાર અમૃત વિલાસ હર્ષનાં બિન્દુઓ અમારા અસંખ્ય પ્રદેશમાં વર્ષ રહ્યાં છે.
અમે ભાવવિદ્યાધરની પદવીને ધારણ કરનારા બન્યા છીએ. * ચારિત્રના દ્રવ્ય અને ભાવ પરિણામ તે દક્ષિણ અને ઉત્તરશ્રેણિયો જાણવી. શ્રી યશોવિજયજી કહે છે કે મેં ચારિત્રના દ્રવ્ય અને ભાવ પરિણામની દક્ષિણ અને ઉત્તર શ્રેણિવડે મારા હસ્તમાંજ વિધાધર પદ પ્રાપ્ત કર્યું છે. આવી પદવી કહા-આવી દશા વિના કહો અન્ય કેણે પ્રાપ્ત કરી છે? અર્થાત અન્ય કેઈએ એવી પદવી પ્રાપ્ત કરી નથી. સારાંશ કે અધ્યાત્મ જ્ઞાનવિના અન્ય કોઈએ એવી પદવી પ્રાપ્ત કરી નથી.
અમે શ્રીકૃષ્ણ અર્થાત હરિરૂપ છીએ. અમારા આત્મા હરિ છે. દર્શન અને જ્ઞાનરૂપ ચંદ્ર અને સૂર્યરૂપ લોચનને ધારણ કરનાર અને સ્થિરતા રૂપ લક્ષ્મીના અમે સ્વામી છીએ અને સુખ સાગરમાં સ્થિરતારૂપ લક્ષ્મીની સાથે આનન્દ કરીએ છીએ. આવી દશાએ હરિના લક્ષણવાળા અમે છીએ.
ઉપાધ્યાય કયે છે કે અમારો આત્મા મહાદેવ છે. અધ્યાત્મતાનરૂપ કૈલાસ પર્વત પર અમારે આત્મારૂપ શિવ વિરાજે છે. સંતવરૂપ વૃષભના ઉપર અમે બેસીએ છીએ. વિરતિરૂપ ગંગાને અમે
For Private And Personal Use Only