________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
આગમ પઢી આગમી નામ કીના, માને ચઢી ઉપદેશ બહુ દીના, ક્ષેપશમ બીન કિરિયા બહુ કીની, તાકે ફલ સુરપદવી લીની. ચે. જબ તાંઈ પ્રમાદદશા નવિ જાવે, તબ તાંહી તુમ સંસાર ભમાવે; મેહપિશાચ તુમ દુઃખ દેખાવે, અપ્રમત્ત ચાબક રૂડિ હાથે આવે.ચે. ઉદયાગત વસ્તુ યથાસ્થિત ભાવે, બંધ નિકાચનને નહિ કેઈ દા; ભણે મણિચંદ્ર ઈમ કર્મ ખપાઈ, જિમ પામે અપની ઠકુરાઈ. જે. ૫ ચારિત્ર્યની પ્રાપ્તિ કરવી જોઈએ. પરવસ્તુઓમાં થતી ઇશ રમણતા - રૂ૫ રતિથી વિરમીને આત્મ ધર્મ ચારિત્ર્યમાં આત્મ વિયેને પરિણમવવાની જરૂર જ્ઞાનીઓએ સ્વીકારી છે. આત્મ ધર્મમાં રતિ કરવામાં પ્રમાદ નડે છે. જ્યાં સુધી પ્રમાદ દશા નડે છે ત્યાં સુધી પ્રમાદ પોતાના બળવડે જીવને સંસારમાં પરિભ્રમાવે છે અને અસહ્ય નાના દુઃખ વડે આત્માને પડે છે. હે ચેતનજી ! તમને મેહરૂપ પિશાચ દુ:ખ દેખાડે છે અર્થાત્ મોહપિશાચના વશમાં થવાથી અનેકશ: ૬ પોતાને દેખવાં પડે છે. જ્યારે અપ્રમત્ત ચાબુક વડે મેહપિશાચને મારવામાં આવે છે ત્યારે મોહપિશાચને જીતી શકાય છે. હે ચેતનજી! તમે કર્મોદય વસ્તુને યથાસ્થિત ભાવે અર્થાત વિચારો અને કર્મવિપાકે ભગવતી વખતે આત્માને આત્મ સ્વભાવે જાણે અને તે પ્રમાણે રસમભાવે વર્તે કે જેથી નિકાચિત કર્મ બાંધી શકાય નહિ. હે ચેતન ! તમે સમભાવે વર્તે તે નિકાચિત કર્મ બાંધવાનો દા રહી શકે નહિ; શ્રી મુનિરાજ મણિચંદ્રજી કથે કે આ પ્રમાણે સમ્યગદર્શન જ્ઞાન સમભાવ વર્તવાથી કર્મને નાશ થતાં ચેતનજી તમે પિતાની પ્રભુતા પામી શકે.
For Private And Personal Use Only