________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मोपयोगिनः सन्तो गृहस्थाश्च विवेकतः । बहिरन्तः प्रवर्तन्ते मोक्षार्थं तत्प्रवृत्तयः ॥ २६६ ॥
આત્મોપયોગવાળા સંતો અને ગૃહસ્થો બહાર અને અંદર વિવેકપૂર્વક પ્રવર્તે છે. તેઓની પ્રવૃત્તિઓ મોક્ષ માટે હોય છે. (૩૬૬)
गच्छादिमतभेदा ये क्रियादिभेदवृत्तयः । तत्रोपयोगिनः सन्तो मुह्यन्ति न कदाग्रहात् ॥३६७॥
જે ગચ્છ વગેરેના મતભેદો અને ક્રિયા વગેરેની ભેદવૃત્તિઓ છે, તેમાં ઉપયોગવાળા સંતો કદાગ્રહથી મોહ પામતા નથી. (૩૬૭)
सर्वगच्छस्थिताः सन्तो गृहस्थाश्चोपयोगिनः । स्वस्वगच्छक्रियावन्तः समत्वान्मुक्तिगामिनः ॥३६८ ॥
પોત પોતાના ગચ્છની ક્રિયાવાળા બધા ગચ્છોમાં રહેલા ઉપયોગવાળા સાધુઓ અને ગૃહસ્થો સમત્વથી મુક્તિમાં જનારા છે. (૩૬ ૮)
सर्वगच्छक्रियादीनां तात्पर्यमात्मशुद्धये। क्रियादिमतभेदेषु क्लिश्यन्ति न समत्वतः ॥३६९ ॥
બધા ગચ્છોની ક્રિયા વગેરેનું તાત્પર્ય આત્મશુદ્ધિને માટે છે. તેથી ક્રિયા વગેરેના મતભેદોમાં સમત્વથી ઉપયોગવાળાઓ કલેશ પામતા નથી. (૩૬૯)
सम्प्रदायादिभेदस्थनृणां मुक्तिर्हि साम्यतः । गच्छक्रियादिनिर्मोहा याता यास्यन्ति सद्गतिम् ॥३७० ॥
સંપ્રદાય વગેરેના ભેદોમાં રહેલા મનુષ્યોની મુક્તિ ખરેખર સામ્યથી થાય છે. ગચ્છ, ક્રિયા વગેરેમાં મોહ વિનાના સદ્ગતિ પામ્યા છે અને પામશે. (૩૭૦).
७४
For Private And Personal Use Only