________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ એકસો પચ્ચીસ (૧૨૫) ગ્રન્થરત્નોમાં “આત્મશુદ્ધોપયોગ” નામના ચિન્તામણિ રત્ન સમાન મહા મહિમવંત આધ્યાત્મિક સારરૂપ ગ્રન્થમાં સર્વ ધર્મો અને તમામ દર્શનોનો સાર આપ્યો છે.
તમામ ધાર્મિક અને દાર્શનિક ગ્રન્થોમાં મૂર્ધન્ય ગ્રન્થરત્ન “આત્મશુદ્ધોપયોગી ગ્રન્થનું વારંવાર સાતત્યપૂર્ણ ચિંતન, મનન સહ નિદિધ્યાસન કરીને વૈશ્વિક મહામનિષીઓ અને દાર્શનિક મૂર્ધન્યો આધ્યાત્મિક વિઘાના રહસ્યોના સારભૂત તત્વ “આત્મ-શુદ્ધોપયોગ” ભાવને આત્મસાત્ કરીને ભવભ્રમણ અને સંસારના તમામ બંધનોથી મુક્ત બને એજ મંગલમય ભાવના સહ
પરમપૂજય, યોગનિષ્ઠ ધુરંધર આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજા તથા પરમપૂજય, પ્રશમનિધિ આચાર્ય ભગવંત શ્રીમત્ કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજાની દિવ્યકૃપાથી તથા પરમપૂજય ગચ્છાધિપતિ આચાર્ય દેવેશ શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજાના અન્તરના મંગલમય આશીર્વાદથી “આત્મશુદ્ધોપયોગ” ગ્રન્થનો દ્ધયંગમ અનુવાદ કરતાં પૂજયપાદ ગ્રન્થકારશ્રીના આશય વિરૂદ્ધ યત કિંચિત્ લખાયું હોય તો નમ્રાતિનમ્ર વિનમ્ર ભાવે મિચ્છામિ-દુક્કડ
મનોહરકીર્તિસાગરસૂરિ.
For Private And Personal Use Only