________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सातोदये समुत्पन्ने सुखे चाऽऽत्मोपयोगिनाम् । बाह्यसुखे न रागः स्याद् ब्रह्मानन्दस्य भोगतः ॥ २५१ ॥
આત્મોપયોગવાળાઓને જયારે શાતાના ઉદયથી સુખ ઉત્પન્ન થાય છે, ત્યારે બ્રહ્માનંદના ભોગથી બાહ્ય સુખમાં રાગ થતો નથી. (૨૫૧)
पूर्णब्रह्मनिमग्नोऽस्मि पूर्णब्रह्मस्वरूपतः । पुद्गलैः पुद्गलास्तृप्तिं यान्ति स्वात्मा निजात्मना ।। २५२॥
પૂર્ણબ્રહ્મ સ્વ૫થી હું પૂર્ણબ્રહ્મમાં નિમગ્ન છું. પુદ્ગલો પુગલોથી તૃપ્તિને પામે છે. પોતાનો આત્મા પોતાના આત્મા વડે તૃપ્તિ પામે છે. (૨૫૨)
आत्मनः सत्यतृप्तिस्तु स्वात्मानन्देन जायते । आत्मानन्दरसावाप्तेः पुद्गलेच्छा विनश्यति ॥२५३ ॥
આત્માની સાચી તૃપ્તિ તો પોતાના આત્માના આનંદથી ઉત્પન્ન થાય છે. આત્માનંદરુપી રસની પ્રાપ્તિથી પુગલની ઈચ્છા નાશ પામે છે. (૨૫૩)
क्षयोपशमभावीयज्ञानचारित्रयोगतः।। आत्मन्येव सुखाम्भोधिः स्वयं स्वेनाऽनुभूयते ॥ २५४ ॥
ક્ષયોપશમભાવનાં જ્ઞાન અને ચારિત્રના યોગથી આત્મામાં જ સ્વયં સુખનો સમુદ્ર પોતાના વડે અનુભવાય છે. (૨૫૪)
क्षणिकं हृदि विज्ञाय सर्वं वैषयिकं सुखम् ।
आत्मानन्दस्य भोगार्थमात्मन्येव स्थिरोभव ॥ २५५ ॥ વિષય સંબંધી સર્વ સુખને હૃયમાં ક્ષણિક જાણીને આત્માનંદના ભોગને માટે તું આત્મામાં જ સ્થિર થા. (૫૫)
૫ ૧
For Private And Personal Use Only