________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सम्यग्दृष्टिजुषां सर्वं मिथ्याशास्त्रमपि स्वतः । सम्यज्ज्ञानतया भाति सम्यग्दृष्टि प्रतापतः ॥१८१ ।।
સમ્યગ્દષ્ટિવાળાઓને બધાં મિથ્યાશાસ્ત્રો પણ સમ્યગ્દષ્ટિના પ્રતાપે આપોઆપ સમ્યજ્ઞાનરુપ જણાય છે. (૧૮૧)
मिथ्यादृष्टिजुषां सम्यक्छास्त्रं त_पि मोहतः । मिथ्यारूपतया भाति मिथ्यादृष्टिप्रतापतः ॥१८२॥
મિથ્યાદષ્ટિવાળાઓને સમ્યકુશાસ્ત્ર પણ મિથ્યાષ્ટિના પ્રતાપે અજ્ઞાનને લીધે મિથ્યાત્વરુપ ભાસે છે. (૧૨)
देहादिवासनां मिथ्याशास्त्रादिमोहवासनाम् । त्यजन्ति ज्ञानिनश्चैवं दर्शनमोहवासनाम् ॥१८३ ।।
આ રીતે વિચારીને જ્ઞાનીઓ દેહ વગેરેની વાસનાને, મિથ્યાશાસ્ત્ર આદિથી ઉત્પન્ન થયેલી મોહવાસનાને અને દર્શનમોહની વાસનાને છોડી દે છે. (૧૮૩)
सात्त्विकज्ञानचारित्रगुणेभ्य आत्मसद्गुणाः । भिन्ना आत्मविशुद्ध्यर्थं हेतुभूताश्च धर्मिणाम् ॥१८४ ॥
ધર્મિષ્ઠોના આત્માની વિશુદ્ધિ માટે હેતુભૂત આત્મસગુણો સાત્ત્વિક જ્ઞાન અને ચારિત્રરુપ ગુણોથી ભિન્ન છે. (૧૮૪).
ज्ञानदर्शनचारित्रवीर्याद्या आत्मसद्गुणाः । भक्तिदानदयाद्यायेज्ञातव्याःसात्विका गुणाः ॥१८५॥
જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય ઈત્યાદિ આત્માના સદ્ગુણો છે અને જે ભક્તિ, દાન, દયા આદિ છે, તે સાત્વિક ગુણો જાણવા. (૧૮૫)
For Private And Personal Use Only