________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
प्रत्याहारस्य योगत्वं धारणायाश्च सम्मतम् । ध्यानान्तरसमाधेश्च योगत्वमुपयोगिनाम् ॥ १११ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રત્યાહાર અને ધારણાનું યોગપણું અને ધ્યાન પછી સમાધિનું યોગપણું ઉપયોગવાળાઓને માન્ય છે. (૧૧૧)
सम्यग्दृष्टिमनुष्याणं योगा मोक्षस्य हेतवः । मिथ्यादृष्टि मनुष्याणां स्वर्गादिभवहेतवः ॥ ११२ ॥
સમ્યગ્દષ્ટિ મનુષ્યોના યોગો મોક્ષના હેતુઓ છે અને મિથ્યાર્દષ્ટિ મનુષ્યોના યોગો સ્વર્ગ વગેરે ભવના હેતુઓ છે. (૧૧૨)
दर्शनज्ञानचारित्रतपोयोगो विवेकिनाम् । उपादाननिमित्तास्ते योगाः सम्यग्दृशां शुभाः ॥ ११३ ॥
દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરુપ યોગ વિવેકીઓને હોય છે અને ઉપાદાનમાં નિમિત્ત એવા તે સમ્યગ્દષ્ટિવાળાઓના શુભ યોગો છે. (૧૧૩)
त्यागिनां च गृहस्थानां व्रतादीनां सुयोगता । स्वाधिकारेण धर्मस्य साधका ह्युपयोगिनः ॥ ११४ ॥
ત્યાગીઓનાં અને ગૃહસ્થોનાં વ્રતો વગેરેની સુયોગતા ખરેખર ઉપયોગવાળાના પોતાના અધિકાર પ્રમાણે ધર્મની સિદ્ધિ કરનારા છે. (૧૧૪)
अन्तरबाह्ययोगा ये विचाराचारभेदतः ।
सम्यग्दृशां च मोक्षार्थं सन्ति सापेक्षबुद्धितः ॥ ११५ ॥
વિચાર અને આચારના ભેદથી જે આંતરિક અને બાહ્ય યોગો છે, તે સમ્યગ્દષ્ટિવાળાઓને સાપેક્ષ બુદ્ધિથી મોક્ષ માટે થાય છે. (૧૧૫)
૨૩
For Private And Personal Use Only