________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भक्तानां योग्यसाधूनां गीतार्थपादसेविनाम् । शास्त्राभ्यासं विनाऽध्यात्मज्ञानं हदि प्रकाशते ॥ ७८६ ।।
ગીતાર્થગુરુનાં ચરણોની સેવા કરનારા ભક્તો અને યોગ્ય સાધુઓને શાસ્ત્રોના અભ્યાસ વિના પણ અધ્યાત્મજ્ઞાન દયમાં પ્રકાશે છે. (૭૮૬)
सद्गुरोरात्मभूता ये गुरुस्वार्पणकारकाः । भवन्ति ते गुरुप्रीत्या स्वयं शुद्धोपयोगिनः ॥७८७ ॥
જેઓ સદ્ગુરુના આત્મભૂત અને ગુરુને સ્વાર્પણ કરનારા છે, તેઓ ગુરુની પ્રીતિથી સ્વયં શુદ્ધોપયોગવાળા બને છે. (૭૮૭)
प्रादुर्भूता हृदि स्पष्टा शुद्धोपयोगभावना । लिखिता काव्यरूपेण विश्वकल्याणहेतवे ॥७८८ ॥
&યમાં પ્રકટેલી સ્પષ્ટ શુદ્ધોપયોગની ભાવના વિશ્વકલ્યાણના હેતુથી કાવ્યરુપે મારા વડે લખાઈ છે. (૭૮૮)
यादृशी स्फुरणोत्पन्ना तादृशी लिखिता मया। अनुक्रमो न तत्राऽस्ति पुनर्दोषो न चाऽत्मनि ॥७८९ ॥
જેવી ફુરણા ઉત્પન્ન થઈ, તેવી મારા વડે લખાઈ છે. તેમાં અનુક્રમ નથી અને આત્માની બાબતમાં પુનરુક્તિ દોષ નથી. (૭૮૯)
अध्यात्मज्ञानलाभार्थमात्मज्ञानाधिकारिणाम् । शुद्धोपयोगनाम्नाऽयं कृतो ग्रन्थो मया शुभः ॥७९० ।।
આત્મજ્ઞાનના અધિકારીઓને અધ્યાત્મજ્ઞાનના લાભને માટે શુદ્ધોપયોગ નામનો આ શુભ ગ્રંથ મારા વડે કરાયો છે. (૭૯૦)
૧૫૮
For Private And Personal Use Only