________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अन्यदर्शनधर्मेषु यत्सत्यं दृश्यते सता । तत्सत्यं श्रीजिनेन्द्राणां वचोवारिधिनिःसृतम् ॥७११ ॥
સપુરુષ વડે અન્ય દર્શનો અને ધર્મોમાં જે સત્ય દેખાય છે, તે સત્ય શ્રીજિનેન્દ્રોના વચન સમુદ્રમાંથી નીકળેલું છે. (૭૧૧)
नयसापेक्षबोधेन स्वान्यशास्त्रप्रवाचनम् । सम्यग्दृशाञ्च तत्सर्वं सम्यग्ज्ञानस्य पुष्टये ॥ ७१२ ॥
નયોના સાપેક્ષ જ્ઞાન વડે પોતાનાં અને પરનાં શાસ્ત્રોનું વાચન અને તે બધું જ્ઞાન સમ્યગ્દષ્ટિઓને સમ્યજ્ઞાનની પુષ્ટિને માટે થાય છે. (૭૧૨)
अध्यात्मज्ञानचारित्रलाभः सम्यक्वदर्शनात् । जागर्ति स्वात्मनो दृष्टिः शुद्धोपयोगरूपिणी ॥७१३ ॥
અધ્યાત્મજ્ઞાન અને ચારિત્રનો લાભ સમ્યગ્દર્શનથી થાય છે અને પોતાના આત્માની શુદ્ધોપયોગરૂપી દષ્ટિ જાગ્રત થાય છે. (૭૧૩)
कर्मकर्ता च तद्भोक्ता हर्ता स्वात्मा स्वयं भवेत् । कर्मविपाकवेलायां परो नैमित्तकस्तथा ॥ ७१४ ॥
કર્મોનો કર્તા, તેનો ભોક્તા અને હર્તા પોતાનો આત્મા જ સ્વયં છે તથા કર્મ વિપાકના સમયે અન્ય વ્યક્તિ નૈમિત્તિક જ હોય છે. (૭૧૪)
कर्मजन्ये सुखे दुःखे मित्रं शत्रु न कल्पते । अन्यं च कर्मरूपज्ञः शुद्धोपयोगवान् जनः ॥ ७१५ ॥
કર્મના સ્વરૂપને જાણનાર શુદ્ધોપયોગવાળો મનુષ્ય કર્મજન્યસુખમાં અને દુઃખમાં બીજાને મિત્ર અને શત્રુ માનતો નથી. (૭૧૫)
૧૪૩
For Private And Personal Use Only