________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
यदा पूर्णः प्रजायते स्वात्मनि सुखनिश्चयः । तदा संतोषवानात्मा भवत्येव महाप्रभुः ॥६९६ ॥
જ્યારે પોતાના આત્મામાં જ પૂર્ણ સુખનો નિશ્ચય થાય છે, ત્યારે સંતોષી આત્મા જ મહાપ્રભુ થાય છે. (૬૯૬).
यावद् बाह्ये सुखाशाऽस्ति तावदुःखं प्रजायते। सन्तोषो न भवेत्पूर्णो मनो भ्राम्यति भूतवत् ॥६९७ ॥
જ્યાં સુધી બાહ્ય પદાર્થોમાં સુખની આશા હોય છે, ત્યાં સુધી દુઃખ થાય છે અને પૂર્ણ સંતોષ થતો નથી તથા મન ભૂતની જેમ ભમ્યા કરે છે. (૬૯૭)
बाह्यसुखाय यत्प्रेम तत्प्रेम दुःखं भृशम् । सुखीभूतो न लोकेऽस्मिन् कोऽपि सत्यं विचारय ॥६९८॥
બાહ્ય સુખને માટે જે પ્રેમ હોય છે, તે પ્રેમ ખૂબ દુઃખ આપનાર થાય છે. એ બાહ્ય સુખની ઈચ્છાથી આ લોકમાં કોઈપણ સુખી થયેલો નથી, એ સત્યનો તું વિચાર કર. (૬૯૮)
शुद्धोपयोगतः प्रेम सुखार्थमुत्तरोत्तरम् । क्रमेण जायते शुद्धमात्मसिद्धिप्रदायकम् ॥६९९ ॥
શબ્દોપયોગથી સુખને માટેનો પ્રેમ ઉત્તરોત્તર ક્રમે કરીને શુદ્ધ થાય છે અને આત્મસિદ્ધિ આપનારી બને છે. (૬૯૯)
जाते शुद्धोपयोगे हि बाह्येषु कामवासना । नश्यति निश्चयं तस्य यान्ति शुद्धोपयोगिनः ॥७०० ॥
ખરેખર જ્યારે શુદ્ધોપયોગ ઉત્પન્ન થાય છે, ત્યારે બાહ્ય પદાર્થોમાં રહેલી કામવાસના નાશ પામે છે અને શુદ્ધોપયોગવાળાઓને તેની ખાતરી થાય છે. (૭૦૦)
૧૪)
For Private And Personal Use Only