________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सर्वकर्मविमोक्षार्थमिच्छाऽपूर्वा हदि स्फुटा। इच्छायोगोऽस्ति चाऽद्यः मार्गानुसारिणां च यः॥६७६ ॥
સર્વ કર્મોથી છૂટવા માટે હૃયમાં સ્પષ્ટ અપૂર્વ ઈચ્છા, તે આદ્ય ઈચ્છાયોગ છે. જે માર્ગનુસારીઓને હોય છે. (૬૭૬)
सर्वज्ञोक्ते महाश्रद्धा शास्त्रयोगः स उच्यते । धर्मशास्त्रं समाश्रित्य सम्यग्दृष्टिः प्रवर्तते ॥६७७॥
સર્વજ્ઞ ભગવતે કહેલા વચનોમાં મહાન શ્રદ્ધા, તે શાસ્ત્રયોગ કહેવાય છે. સમ્યગ્દષ્ટિ જીવ ધર્મશાસ્ત્રનો સારી રીતે આશ્રય કરીને પ્રવર્તે છે. (૯૭૭)
सर्वज्ञवीरदेवोक्तधर्मशास्त्रावलम्बनम् । स्याद्वाददृष्टिसापेक्षशास्त्रयोगः प्रवर्तते ॥६७८ ॥
સર્વજ્ઞ ભગવન્ત શ્રી મહાવીર દેવે કહેલાં ધર્મશાસ્ત્રોનું અવલંબન લેવાથી સ્યાદ્વાદ દષ્ટિ સાપેક્ષ શાસ્ત્રયોગ પ્રવર્તે છે. (૬૭૮)
शास्त्रयोगबलेनैव सामर्थ्ययोग आत्मनि। उद्भवेद्धर्मकार्याणां व्यापारेण व्रतैषिणाम् ॥६७९ ॥
ધર્મકાર્યોના વ્યાપારથી વ્રતને ઈચ્છનારાઓના આત્મામાં શાસ્ત્રયોગના બલથી જ સામર્મયોગ ઉદ્ભવે છે. (૭૯)
देशविरतिमारभ्य सामर्थ्ययोगवर्तनम् । क्षीणमोहगुणस्थानं यावदस्ति सयोगिनाम् ॥६८०॥
દેશવિરતિથી આરંભીને સયોગીઓના ક્ષીણમોહ ગુણસ્થાન સુધી સામર્થ્યયોગનું વર્તન હોય છે. (૬૮૦)
૧૩૬
For Private And Personal Use Only