________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रणम्य परमानन्दं महावीरं जिनेश्वरम् । आत्मशुद्धोपयोगं तं वच्मि स्याद्वादबोधतः ॥१॥
પરમાનંદ સ્વરુપ શ્રી મહાવીર જિનેશ્વરને પ્રણામ કરીને સ્યાદ્વાદના બોધ અનુસાર “આત્મશુદ્ધોપયોગ’ હું કહું છું. (૧)
शुद्धाऽऽत्मैव महावीरो व्यक्तानन्दचिदात्मकः । निजाऽऽत्मानं महावीरं जानाति वीर एव सः ॥२॥ વ્યક્ત આનંદ અને જ્ઞાનયુક્ત શુદ્ધાત્મા જ મહાવીર છે. (જ) પોતાના આત્માને મહાવીર માને છે, તે જ વીર છે. (૨)
शुभाऽशुभपरिणामादभिन्न आत्माऽस्ति वस्तुतः । पुण्यपापाद् विभिन्नोऽस्ति स्वात्मारामो वपुःस्थितः ॥३॥
દેહમાં રહેલો હોવા છતાં પણ પોતાના આત્મસ્વરુપમાં જ રમમાણ આત્મા વસ્તુતઃ શુભ અને અશુભ પરિણામથી ભિન્ન છે અને પુણ્ય - પાપથી પણ ભિન્ન છે. (૩).
अक्षयो निर्मलः शान्तः पूर्णानन्दमयो महान् । अनाद्यनन्तकालीनः सर्वोपाधिविवर्जितः ॥४॥
વળી આત્મા અક્ષય, નિર્મળ, શાંત, પૂર્ણાનંદમય, મહાન, કાળથી અનાદિ અનંત અને સર્વ ઉપાધિથી રહિત છે. (૪)
अनादिकालतः कर्मसङ्गयुक्तोऽपि सत्तया सिद्धो बुद्धो परेशान आत्मैवाऽस्ति प्रभुर्विभुः ॥५॥
અનાદિ કાળથી કર્મસંગથી યુક્ત હોવા છતાં પણ આત્મા સત્તાથી સિદ્ધ, બુદ્ધ, પરેશાન, શ્રેષ્ઠ, મહાદેવ, પ્રભુ અને વિભુ જ છે. (૫)
For Private And Personal Use Only