________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सर्वशक्तिमयः स्वात्मा दैन्यं किञ्चिन्न धारय । सर्वशक्तिप्रकाशार्थं यतस्व पुरुषार्थतः ॥५५१॥
પોતાનો આત્મા જ સર્વશક્તિમય છે. તું સહેજ પણ દિનતા ન કર. તું પુરુષાર્થથી સર્વ શક્તિના પ્રાર્ય માટે યત્ન કર. (પપ૧)
आत्मोल्लाससमुत्साहाज्जीव शुद्धात्मनि स्वयम् । आत्मानन्दरसास्वादं कुरुष्व स्वात्मभावतः ॥५५२ ॥
તું આત્મોલ્લાસના સારા ઉત્સાહથી પોતાની મેળે શુદ્ધાત્મામાં જીવ અને પોતાના શુદ્ધ આત્મભાવથી આત્માના આનંદરુપી રસનો આસ્વાદ કર. (૫૫૨)
आत्मानन्दामृतं पीत्वा भव मग्नो निजात्मनि । सर्वसाधनतः साध्यमात्मानन्दस्य जीवनम् ॥५५३ ॥
આત્માનંદરુપી અમૃતનું પાન કરીને તે પોતાના આત્મામાં મગ્ન થા. સર્વસાધનથી આત્માના આનંદનું જીવન સાધવું જોઈએ. (૫૫૩)
स्वलक्ष्ये निश्चितं ध्येयं पूर्णानन्दरसोदधेः । कर्तव्यं सर्वथा पानं त्यक्वा मोहविषं द्रुतम् ॥५५४ ॥
પોતાના લક્ષ્યમાં ધ્યેય નક્કી કરવું જોઈએ અને મોહરુપી વિષને શીધ્ર ત્યજીને પૂર્ણાનંદરુપી રસના સમુદ્રનું સર્વથા પાન કરવું જોઈએ. (૫૫૪)
मनः स्वर्गो मनः श्वभ्रं संसारो मन एव च । मोहरूपं मनो जित्वा मुक्तो भवति चेतनः ॥५५५ ॥
મન સ્વર્ગ છે, મન નરક છે અને મન જ સંસાર છે. મોહરૂપ મનને જીતીને ચેતન મુક્ત થાય છે. (૫૫૫).
૧૧૧
For Private And Personal Use Only