________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૦ ). પડદાને ક્ષણમાં થાનવડે ચીરી નાંખી અનંતજ્ઞાનપ્રકાશ સામર્થ્યને પ્રગટાવશે. તમે હું પણ તુચ્છ અભિમાનની સર્વ ભાગમાં પ્રવર્તતી ચિત્તવૃત્તિને શાંત કરી, અને ચલ શ્રદ્ધાથી આત્મસ્વરૂપમાં રમણ કરજે. શરીરના અને શરીર સંબંધી અનેક ઈષ્ટ અનિષ્ટ સંયેગથી થતા અનેક વિચારનાં કેકડાને ભૂલી જઈ, કેવલ આત્મસ્વરૂપને જ વિચાર હૃદયમાં સ્મરણ કર્યા કરજે. બાહ્યાભાવનું અહંવૃત્તિનું અભિમાન ભૂલાવી દેઈ, આત્મસ્વરૂપમાં એકાકાર થવાને અભ્યાસ સેવ્યા કરશે. આ સબલ આશ્રય પિતાની પાસે છતાં કયાં અન્યત્ર શેધવા પ્રયત્ન કરો છે ? સર્વતઃ કેવળ શુદ્ધઆત્મસ્વરૂપમાં અનન્ય પ્રેમભાવથી નિષ્ઠા રાખે. તમે પોતાની શકિતને પ્રભાવ સ્વયમેવ કરશે. આત્માની શુદ્ધપરિણતિ જાગૃત પામે એવા વિચારને હૃદયમાં પ્રવેશ થવા દેશે. રાગના, દ્વેષના ઈર્ષાના, અદેખાઈના, કપટના, સ્વાર્થના વિચારોને આજ દિન સુધી કરી તમે હૃદયને અપવિત્ર બનાવી દીધું છે. હવે તમે ખરાબ વિચારને દૂર કરો. તમારા હૃદયને તમે પોતાની મેળે દુષ્ટવાસનાઓથી ભરી દીધું છે. તમારા એવા અપવિત્ર હૃદયમાં આત્મપ્રભુને વાસ થવાની આશા નથી. સ્વ અને પરની દયારૂપ જલથી હૃદય મંદિરને સ્નાન કરાવી નિર્મલ કરે, અને વેર ઝેર સ્વાર્થને નાશ અને વૈરાગ્યરૂપ
For Private And Personal Use Only