________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૮). રોગ સમાન લાગ્યા વિના કેમ રહે ! અર્થાત્ લાગે જ. આત્મજ્ઞાનને આત્માને શુદ્ધ સ્વભાવ પ્રગટ કરે,એજ કર્તવ્યમાં કર્તવ્ય અને સારમાં સાર લાગે છે. આત્માભિમુખતા ક્ષણે ક્ષણે ઉપગ ભાવથી અંતરમાં સેવવી. વ્યાવહારિક કાર્ય કરતાં પણું, આત્માના ગુણપર્યાયનું ચિંતવન કરવું. સાત નાની આત્મસ્વરૂપ વિચારવું. સંગ્રહનયની અપેક્ષાએ આત્મસત્તા અવલંબી ધ્યાન કરવું. શુદ્ધવ્યવહારથી દ્રવ્યગુણપર્યાય ભેદ પાડી, આત્મધ્યાન ધરવું. એમ આત્મસ્વરૂપનું ક્ષણે ક્ષણે અંતરવૃત્તિથી સેવન કરવું. ચકલી પોતાનાં ઈંડાંને જે સેવે નહીં તે, ઈંડાં કહી જાય છે, અર્થાત બગડી જાય છે. મયુરી પણ ઇંડાંનું સેવન કરે છે, તેથી ઇંડાંની અંદર રહેલે જીવ પુષ્ટ થાય છે, અને પશ્ચાત્ તે ઈંડાં ફૂટવાથી બહાર નીકળે છે. માટે સેવાકિયામાં અદ્દભૂત શકિત સમાઈ છે. સમુદ્રમાં રહેલી કાચબી પોતાનાં ઈંડાં સમુદ્રની બહાર રેતીમાં આવી દાટી જાય છે, અને પછી તે જતી રહે છે. પછી સમુદ્રમાં રહી વારંવાર પિતાનાં ઇંડાંની યાદી કર્યા કરે છે. મારાં બચ્ચાં સુખી છે, મારાં બચ્ચાંને શાંતિ છે, મારાં બચ્ચાં મોટાં થાય છે, એમ વારંવાર મનમાં ચિંતવન કર્યા કરે છે, તેથી તે ઈંડાં મોટાં થઈ તેમાંથી બચ્ચાં નીકળી પાણીમાં ચાલ્યાં જાય છે. જે તે કાચબીને કઈ મારી નાખે, વા આફતથી ઇંડાનું ચિંતવન કરે નહીં, તે
For Private And Personal Use Only