SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૩ ). નથી. અષ્ટપક્ષ, અને સાતનય, ચારનિક્ષેપાવડે, સમ્યગઆત્મા સ્વરૂપ સર્વીશે પરિપૂર્ણ સ્વરૂપને મુનિરાજે કે જે પોતાના ગુણેને પોતાના સ્વરૂપમાં જોડનારા ચેગિ છે તે જાણે છે. ક્ષણ ભાવમાં પણ સમતા જે આવી જાય, તે આત્મા પિતાના સ્વરૂપને અનુભવ પ્રકાશ કરી શકે છે. જ્યારે આત્મા રાગદ્વેષ, માન, અપમાન, કીર્તિ, અપકીર્તિ, શત્રુ, મિત્ર, પ્રિય, અપ્રિય, ગુણ, મણિ, વંદક નિંદક, ઉપર સમભાવ ધારણ કરે છે, અને એક આત્માના શુદ્ધસ્વરૂપમાંજ ઉપયાગભાવે એ કાગ્રચિત્તથી વર્તે છે, ત્યારે સહજાનંદને અનુભવ કરી શકે છે. મમતામાં અંધ થયેલા પુરૂષે કે જેનું ચિત્ત ચારે તરફ ફરતું છે, તેઓ પરમ પ્રભુસ્વરૂપ આત્માને અનુભવ ચક્ષુથી દેખી શકતા નથી. જ્યારે સ્વાભાવિક આત્મશકિતઓની કુર્ણ થાય છે, સદગુરૂની ભક્તિ હૃદયમાં જાગૃત થાય છે, સદ્ગુરૂ ઉપદિષ્ટ આત્મસ્વરૂપમાં ચિત્ત સ્થિરતાને પામી ધ્યાન કરે છે, અને આત્માના ગુણ પર્યાયનું જ્ઞાન ધ્યાન થાય ત્યારે કઈ ભવ્ય પુરૂષ લગ, સ્વરૂપાવસ્થાનમય પ્રાપ્ત કરે છે. પુરાણ, વેદ અને ગીતાને અભ્યાસ કરતાં, મૂર્ખ સાપેક્ષ બુદ્ધિ વિના સભ્ય અર્થ પામી શકતો નથી. અનેક પ્રકારની વનસ્પતિઓનું ચર્વણ કરનાર પશુ, રસને આસ્વાદ પ્રાપ્ત કરતું નથી. તેમ વિચારશૂન્ય અને જ્ઞાન નાના જ્ઞાનહીન પામરમનુષ્ય આત્મતત્વ પ્રાપ્ત કરતા For Private And Personal Use Only
SR No.008525
Book TitleAtma Prakasha 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy