SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૯). થયા કરે છે. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે – हुं एनो ए माहरो, ए हुँ एणीबुद्धि ॥ चेतन जडता अनुभवे, न विमासे शुद्धि ॥ आतमतत्व विचारीए. ॥ હું એને અને એ મારે, એવી બુદ્ધિથી ચેતન જડતા એટલે બેહિરાત્મપદ અનુભવે છે. અને તેની બહિરાત્મ બુદ્ધિથી આત્મા પોતાનું શુદ્ધ સ્વરૂપ અનુભવી શકતા નથી. માટે આત્મતત્વની વિચારણા કરવી કે જેથી પરમાં થતી અહંવૃત્તિ ટળે, અહંવૃત્તિથીજ સંસારમાં પરિભ્રમણ થયા કરે છે. આશા ટળે તે કંઈ બાકી રહેતું નથી, અર્થાત્ આશાના નાશથી શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. જેમ વડના બીજથી મોટું વૃક્ષ બને છે, તેમ એક નાની સરખી આશાથી પણ મોટું દુખવૃક્ષ ઉત્પન્ન થાય છે, આશાને નાશ કંઈ એકદમ થતું નથી. જ્ઞાની સદૂગુરૂ મુનિરાજની સેવના, ભેદજ્ઞાનની પ્રાપ્તિ, અને સંસારના ત્યાગથી આશારૂપ અંકુરો નાશ પામે છે, આત્માને એ આશાથી ખરેખર દુઃખજ થાય છે, એમ જે નિશ્ચય કર્યો હતો તે સંસારમાં પરિભ્રમણનો સમય રહેત નહીં. આશા એ ક્ષયરોગ સમાન છે. ક્ષયરોગથી એકવાર મરણ થાય છે, અને આશારૂપ ક્ષયરોગથી તો વારંવાર જન્મ મરણ થાય છે. ક્ષયરોગથી તમારા હૃદયમાં જેટલી બીક રહે છે તેટલી જે આશારૂપ ક્ષયરોગથી બીક હોત, તો પરાધીન અવસ્થા ભોગવવી પડત નહીં. આપણે પોતે જ આશારૂપ For Private And Personal Use Only
SR No.008525
Book TitleAtma Prakasha 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy