SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભોગે તેને નિર્માલ્ય બનાવ્યું છે. રાજાને પણ ખાત્રી થઈ કે, જગતમાં વિષયાગ અને ચિન્તાઓ માણસેને બહીન બનાવે છે. આ પ્રમાણે પહેલાં કહી ગએલ શેઠને કઈ વખતે પની પરિવારથી અને કઈ વખતે વ્યાપાર-વ્યવહારાદિકના નિમિત્તો મળતાં ચિત્તાને બેજે વધવા લાગે. એકદા શેઠ વિચાર કરે છે કે પુત્રાદિક પરિવારે તે, ચિન્તાઓ વધારી પણ ઓછી કરી નહીં અને શક્તિ પણ ઓછી થવા લાગી છે. માટે દરેક મતેને ત્યાગ કરી આત્મકલ્યાણાર્થે કાંઈક સાધી લઉં, આમ વિચારી સદ્ગુરુદ્વારા શાસ્ત્રજ્ઞાન મેળવી અનાસક્તપણે તે શેઠ રહેવા લાગ્યા. સવે સગે અનિત્ય અને વિગવાળા છે. આમ વિવેક લાવી ધર્મસાધન કરવા લાગ્યા. ત્યારે જ શોક પરિતાપ ચિન્તાદિક ઓછા થવા લાગ્યા અને પોતાના ધનને સદુપયોગ કરવા લાગ્યા. તેથી સુખ શાંતિને આવતાં વિલંબ થયે નહી. માટે શાસ્ત્રકારો કહે છે કે શસ્ત્રાદિક વિદ્યાઓ તમારી પાસે ધનાદિકના સાધને હેતે પણ ચિતાઓને ચૂરશે નહી. ચિન્તાઓને ચૂરનાર તે, શાસ્ત્રવિદ્યા છે. ૫૦. શાસ્ત્ર-આગમનું ગુરુગમદ્વારા જ્ઞાન લેવાથી વ્યાવહારિક કાર્યોમાં મલિનતા આવતી નથી અને તે કાર્યોમાં પાપને બંધ અલ્પ થાય છે, મનની મલિનતાની શુદ્ધિ થતી રહે છે. તેથી સંસારમાં ઐય, નિખાલસતા, પાપભીસ્તા, ઈરછા નિરધ-પાંચ ઈન્દ્રિો ઉપર કાબુ વિગેરે માગનુસારીના ગુણને નિવાસ થાય છે. તથા સર્વે પ્રાણીઓ તરફ મૈત્રીભાવના-પ્રદ અનુકંપા અને માધ્યશ્ય આવતાં ધર્મના પાયાઓ સુદઢ બને છે. મોટા અપરાધીઓ, ચેરીના કરનારાઓ તથા વ્યભિચારીઓ For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy