SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩પ૬ ઉદ્વિગ્ન રહેતા; દુષ્ટની સંગતિથી જુગાર રમવા શીખે; જ્યારે જુગારમાં લાભ મળતું ત્યારે એમ સમજતે કે આ જુગારમાં જ પૈસા મેળવવાને કીમી છે; માટે કદાપિ તેને મુકવે નહીં. પણ જ્યારે ગુમાવતે ત્યારે અફસોસ કરો અને કહે કે જુગાર રમતા ગુમાવ્યું તેમાંથી જ મેળવવું. આ પ્રમાણે માનતે હોવાથી જુગારીઆ-ગાળો ભાંડે તથા માર મારે તે પણ સહન કરી લેતે પણ સમજેતે નહી કે પુણ્યદયે જુગાર રમતાં લાભ થાય છે, પાપોદયના વખતે સર્વસ્વ ગુમાવવાને અવસર આવી હાજર થાય છે. આ પુત્ર જુગારી બન્યા પછી વ્યભિચારી બન્યા, તેથી તે ધન-બેલ વિગેરેની હાનિ થવા લાગી; વિવિધ વ્યાધિઓ આવીને વળગી છતાં આ કુટેવને મુક્ત નહી. છેવટે પથારી વશ બન્યા ત્યારે કાંઈક સમજણના ઘરમાં આવ્યું અને પસ્તા કરવા પૂર્વક પિતાની થએલ ભૂલે તેને માલુમ પડી અને કહેવા લાગ્યો કે જ્યારે સદગુણી માતપિતા વિગેરે વડિલ તથા ગુરુમહારાજ નીતિ ધર્મને તથા આત્મિક ધર્મને ઉપદેશ આપતા હતા, ત્યારે જે પ્રતિકૂલતા ભાસતી હતી અને અનિષ્ટ લાગતું હતું તે તદ્દન અસત્ય છેટું હતું; તે વખતે પ્રતિકૂળતાને અનુકુલતા માનીને-માન્યું ન હતું તે અને વડિલના કથન મુજબ વર્તન રાખ્યું હોત તે આ વિડંબનાએને–સંકટને સહન કરવાને અવસર આવત નહી. હવે જે સાજો થાઉં તે કદાપિ જુગાર અને વ્યભિચાર કરવાના વિચારો પણ કરું નહી, આ પ્રમાણે વિચાર અને વિવેક કરતાં કષ્ટ ખસવા લાગ્યું અને શાંતિ હાજર થવા લાગી, માતપિતાએ દવા કરાવવાથી કુવ્યસનથી લાગુ પડેલી વ્યાધિઓ ખસી ગઈ For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy