SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૭ છે. પણ મળતા નથી અને દેખાતે પણ નથી. પાંચમા દિવસે ગીની આપનાર માણસ તે માર્ગે જઈ રહેલ છે તેને દેખીતેની પાસે જઈને કહેવા લાગ્ય; બુટપોલીશના પૈસા આપતાં આ ગીની ભેગી આવેલ હતી તે પાછી લે; મારી માતા નારાજ બની છે, પેલા માણસે તેની સત્યતા ઉપર ખુશી થઈને તેના ઘેર જઈને ગીની ભેટ તરીકે આપી, તે છોકરાને સારી રીતે કેળવણી આપી ઉંચી પાયરીએ ચઢાવ્યે--અને માતા પુત્ર અધિક ગુણવાન બની સંપત્તિવાળા થયા–સત્ય, ગુપ્ત રહેતું નથી. દર૩. જે મનુષ્યને પુર્યોદયથી માનસિક-વાચિક અને કાયિક શકિતઓ પ્રાપ્ત થઈ છે-તેમજ સંપત્તિ-વૈભવાદિક મળેલ છે, તેઓએ પિતાના સ્વજન વર્ગને સારી રીતે વિપત્તિ-વિડંબનાઓના વખતે સહકાર આપે તે આવશ્યક છે; શક્ય ધનાદિકને સેવાભક્તિને સહારે આપવામાં ખામી રાખવી જોઈએ નહી. ધાર્મિક ક્રિયાઓ પણ કરવામાં પાછું હઠવું નહી. આવા સ્વપપકારી મહાશયને આપત્તિના પ્રસંગે સ્વજન વર્ગ તેમજ દેવ પણું સહાય કરે છે. આપત્તિ-વિડંબનાઓ, પૂર્વના કર્મના ઉદયે ધાર્મિક ક્રિયાઓ કરનાર-વારેપકારીઓને પણ આવી પડે છે. તે ધર્મ–પરોપકારથી આવી પડતી નથી-પાણ બાંધેલા દુષ્ટ કર્મોના વિપાકથી આવે છે, માટે વપરના ઉદ્ધારાર્થે આળસ કરવી તે પિતાને જ નુકશાન કરવા બરાબર છે. આમ સમજી વિપત્તિના વખતે પણ શક્ય ઉપકાર કરે તે પિતાને લાભ થવા બરાબર છે. તેથી પુણ્યબંધ બંધાય છે. અને પરિણામે સુખી બને છે. એક શેઠની ૨૨ For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy