SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯ ) અન્યના ઉપર દ્વેષ કરે તે તે ખરેખર શુદ્ધપ્રેમથી વિમુખ રહે છે. તપાગચ્છના શ્રાવકો વા સાધુએ જે ખરતર આદિ ગચ્છના અનુયાચિઓ તરફ અશુભ દૃષ્ટિથી દેખે અને તેના પર દ્વેષ કરે અને તેઓને તિરસ્કાર થાય તેમ વર્તે, તે ખરેખર તે શુદ્ધપ્રેમ અને સમતાની પ્રાપ્તિ કરી શકે નહીં, તેમજ ખરતર આદિ ગવાળાએ તપાગચ્છપર દ્વેષ કરે અને તપાગચ્છના અનુયાયિઓપર શુદ્ધપ્રેમ રાખે નહીં, પશુ ઉલટા તિરસ્કાર અને ભેદષ્ટિથી દેખે, તે ખરેખર તે સમતાના અને શુપ્રેમના ગ્રાહક બની શકે નહી. તેઓ પરસ્પર ગચ્છની તકરારોથી ધર્મનાં યુદ્ધ કરી કલેશ કરે તેા, રાગ અને દ્વેષમાં ફસાતા જાય અને મમતાના યોગે કલેશનાં એવાં બી વવાય કે, કદી દરેક ગ છવાળાએ શુદ્ધ પ્રેમથી પરસ્પર મળી શકે નહીં. મનુષ્યાએ પાતાના ગચ્છસંબન્ધી સત્ય દલીલો દેખાડવી જોઇએ, પણ અન્ય ગચ્છની નિન્દા તથા અન્ય ગચ્છવાળા સાથે કલેશ કરવા જોઇએ નહીં, અર્થાત્ દરેક ગચ્છવાળાનું કઈ કઈ અપેક્ષાએ શું શું કહેવાનું છે, તે પ્રથમ સમજ્યાવિના, પેાતાના પકડેલા મમત્વથી ધમંધમા કરવી જોઇએ નહીં. ગચ્છાદિની મમતાના ત્યાગ કરીને ગચ્છની ક્રિયાઓ ઉદ્દેશપૂર્વક, શુપ્રેમથી જે મનુષ્યા કરે છે, તેએ સમતાને અમુક અંશે પ્રાપ્ત કરી શકે છે અને આત્મપ્રભુની પ્રાપ્તિના પણ અધિકારી અને છે. મમત્વનો ત્યાગ કરીને આત્માભિમુખ વૃત્તિ કરીને, સમતાભાવમાં રમણતા કરવી જોઇએ. અન્યધર્મવાળાઓ તરફ વા પેાતાના સામબંધુએ તરફ પણ આત્મદૃષ્ટિથી વર્તવું જોઇએ. પેાતાના સમાન ધર્મિઓની ઉન્નતિ કરવા શુપ્રેમથી પ્રયત્ન કરવા, તેમ અન્યધર્મ પાળનારાઓને પણ શુદ્ધપ્રેમથી પેાતાના તરફ આકર્ષવા. પોતાના શુપ્રેમથી અન્યધર્મવાળાઓનું પોતાના ધર્મપ્રતિ આકર્ષણ કરી શકાય છે, તેટલું અન્યધર્મવાળાઓપર દ્વેષ, ઈર્ષ્યાથી કદી કરી શકાતું નથી. જેએ મારુંમારા કરીને ધર્મની વૃદ્ધિ કરવા ઇચ્છે છે, તેઓ સત્યધર્મની પ્રાપ્તિ કરી શકતા નથી. શ્રીસર્વજ્ઞકથિત જૈનધર્મનાં એવાં ઉચ્ચ અને સત્યસિદ્ધાંતા છે કે, જો તે પ્રમાણે વર્તવામાં આવેતેા આખી દુનિયાના મનુષ્યાનું ધ્યેયઃ કરી શકાય. જે મહાવીર પ્રરૂપિત જૈનધર્મને સમ્યક્ષણે જાણે છે, તેઓ સાપેક્ષ દૃષ્ટિથી-નયાની અપેક્ષાએ, જે જે અંશે અન્યધર્મોમાં સત્ય રહ્યું છે તેને, તે તે નયની અપેક્ષાએ માને છે અને તેવા પ્રકારના જૈના, વિષમ એકાન્તદૃષ્ટિના નાશથી સમતાના અધિકારી અને છે અને સમતાને પ્રાપ્ત કરીને આત્મપ્રભુની પરિપૂર્ણ અંશે પ્રાપ્તિ કરવા ભાગ્યશાળી બને છે. ગચ્છની કેટલીક તકરારાથી સાધુઓ અને શ્રાવકા, સ. ૪૭ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy