SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મ0ાલ ત ( ૩૦ ) તે તે ઉપાયને કથનારાં શાસ્ત્રોને અધ્યાત્મશાસ્ત્રો કહે છે. અન્ય શાસ્ત્રોમાં તે સામાન્ય બુદ્ધિમાને પણ પ્રવેશ કરે છે, પણ સૂક્ષ્મ બુદ્ધિ વિના અધ્યાત્મશાસ્ત્રમાં પ્રવેશ થઈ શકતો નથી. વેદધર્મવાળાઓ ઉપનિષદો અને ભગવદ્ગીતાને અધ્યાત્મશાસ્ત્ર તરીકે થે છે અને તેઓ અધ્યાત્મશાસ્ત્રો પર અત્યંત પ્રેમ ધારણ કરે છે. જૈનશાસ્ત્રોમાં સમ્યકપણે અધ્યાત્મ તત્ત્વનું વિવેચન કરવામાં આવ્યું છે. અધ્યાત્મશાસ્ત્રો વાંચ્યાં એટલે તુર્ત અધ્યાત્મશાસ્ત્રો પ્રમાણે આચાર થઈ જાય એમ માનવું ભૂલભરેલું છે. જ્ઞાન અને આચારે પ્રાયઃ એકદમ સાથે ઉત્પન્ન થતા નથી. પ્રથમ તે વિચારો ઉત્પન્ન થાય છે. વિચારે જેવી જાતના હોય છે તેવા પ્રકારના આચારેને ઉત્પન્ન કરવા તે સમથે બને વિચારોથી છે. વિચારે એ આચારેનું કારણ છે. વિચારે વિદ્યુત આચાર ની - શક્તિના કરતાં પણ અત્યંત બળવાન છે. વિચારો ગમે તે ત્પત્તિ. પ્રકારના મગજમાં ઉત્પન્ન થઈને પિતાના સંસ્કારે પાડે છે અને તે પિતાના જેવા વિચારે ઉત્પન્ન કરવાને માટે સમર્થ બને છે, માટે મનુષ્યોએ વિવેક વિના ગમે તે પ્રકારના વિચાર કર્યા કરવા નહિ. શુભ વિચારે શુભ આચારને ઉત્પન્ન કરવા સમર્થ બને છે અને અશુભ વિચારે અશુભ આચારોને ઉત્પન્ન કરવા સમર્થ બને છે. જેણે પોતાના આચારોને સુધારવા હોય તેણે માનસિક વિચાર સુષ્ટિપ્રતિપાદક અધ્યાત્મશાસ્ત્રોને અભ્યાસ કરવો જોઈએ. આચારેના મુખ્ય ઉદેશનું રહસ્ય સમજાવનાર અધ્યાત્મશાસ્ત્રો છે. સુવિચારથી સુઆચારની પ્રણાલીકાઓ ઉત્પન્ન કરી શકાય છે. શ્રીમદ્ મહાવીર પ્રભુએ કેવલજ્ઞાનના બળ વડે સાધુ અને શ્રાવક વર્ગગ્ય ભિન્ન ભિન્ન આચારને પ્રતિપાદન કર્યા હતા. પ્રથમ કેઈપણ કાર્ય કરવું હોય છે તે તત્સંબધી પ્રથમ વિચાર કરવો પડે છે, પશ્ચાત્ આચારને આદરવા પડે છે. જે જે આચારે મનુષ્યોના વર્તમાન કાલમાં દેખાય છે તે પૂર્વ વિચારેનું ફળ છે એમ અધ્યામશાસ્ત્રોથી વિચારકેને જણાયાવિના રહેશે નહિ. કોઈપણું મનુષ્યને અશુભ આચાર ફેરવો હોય તે શુભ વિચાર તેના હૃદયમાં ઉત્પન્ન કરાવ્યા વિના તે ફરે નથી. આચારેના નવા નવા મેદાને ઉપજાવનાર વિચારે છે. કોઈપણ ઠેકાણે જવા માટે મનુષ્ય પગલું ભરે છે તે પહેલાં તેને વિચાર કરવો પડે છે. શ્રાવકના આચારે અને સાધુના આચારે ઉત્પન્ન થવાની પૂર્વે વિચારની હયાતી અવશ્ય હોય છે. વિચારો પણ ગોઠવ્યા વિના અમુક પ્રકારના કાર્યને સિદ્ધ કરવા સમર્થ થતા નથી. શરીર અને ઇન્દ્રિ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy