SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) (ા સામગ્રી.) खेले चतुर्गति चोपर, पानी मेरो खेले, नरद गंजिफा कौंन गिनत है, माने न लेखे बुद्धिधर. प्रा०॥१॥ ભાવાર્થ –આ ચતુર્ગતિરૂપ ચોપાટ પર મહારે આત્મસ્વામી ખેલે છે. દરેક સંસારી જીવો ચતુર્ગતિરૂ૫ ચોપાટને ખેલી રહ્યા છે, પણ આધ્યાત્મિક દષ્ટિ થયા વિના કેવી રીતે અન્તરથી સુબુદ્ધિ અને દુર્બુદ્ધિની પ્રેરણુથી ચોપટ ખેલાય છે તે બાહ્યદષ્ટિધારક જીવો સમજી શકતા નથી. બુદ્ધિમાન્ કથિત ચતુર્ગતિરૂપ ગંજીફા આગળ બનાવેલો ગંજીફે કશી ગણતરીમાં લેખાતો નથી. નારદ, (સોગઠાં– ) ગંજીફા (પાન)ને કયા આધ્યાત્મિક દૃષ્ટિવાળા વિદ્વાનો અનન્તરના ચેપાટ આગળ ગણતરીમાં ગણું શકે વારૂ? અલબત કઈ પણ હિસાબમાં ગણું શકે નહિ. ચતુર્ગતિરૂપ ચોપટને અધ્યાત્મજ્ઞાનિયો સારી રીતે ખેલી શકે છે અને ચાર ગતિમાં આમા પરિભ્રમણ ન કરે તે માટે તેઓ પૂરતું લક્ષ્ય આપે છે. દુબુદ્ધિના યોગે રાગ અને દ્વેષના પ્રપંચમાં આત્મા ફસાય છે. દબુદ્ધિના યોગે મેહના ઘેનમાં ઘેરાય છે અને સર્વ પ્રકારનાં પાપકૃત્યને આચરે છે. સર્વ પ્રકારના આશ્રવના હેતુઓને દુબુદ્ધિના યોગે આદરવામાં આવે છે. દુબુદ્ધિથી આત્મા જે વસ્તુઓ પોતાની નથી તેને પોતાની માનીને અનેક પ્રકારની ઉપાધિઓને વેઠે છે. દુબુદ્ધિથી ધર્મના ઉપર અપ્રીતિ થાય છે અને અધર્મના ઉપર પ્રીતિ થાય છે. પોતાના આત્મસમાન અન્યાના આભાએ છે પણ દુબુદ્ધિના યોગે અન્ય આત્માઓ ઉપર વૈરની બુદ્ધિ પ્રગટે છે અને અન્ય આત્માઓનું બુરું કરવા પ્રવૃત્તિ થાય છે. અનેક પ્રકારના કપટના ભેદની ઉત્પત્તિ કરાવનાર દુબુદ્ધિ છે. દુબુદ્ધિના યોગે આત્મા દેવગુરૂ અને ધર્મને હીસાબમાં ગણત નથી અને આત્મા પિતે ચેતન છતાં જડની પેઠે આચરણ કરે છે. દુર્બુદ્ધિ, મોહની અઠ્ઠાવીશ પ્રકૃતિમાં આત્માને ફસાવવાની પ્રેરણું કરે છે. દુર્બુદ્ધિથી આત્મા પિતાના ઉપકારીઓનું પણ બુરું કરવા પ્રયત્ન કરે છે. દુબુદ્ધિથી પ્રેરાએલ આત્મા સાત નરકમાં વારંવાર ગમન કરીને અસહ્ય દુઃખેને ભગવે છે. દુદ્ધિથી આમાં જડવાદીઓના મતને અનુસરી નાસ્તિક બનીને પુણ્ય અને પાપની માન્યતાની શ્રદ્ધા કરતો નથી. દુર્બુદ્ધિના યોગે આત્મા પાખંડની લીલામાં ગુસ્તાન બને છે. ચતુગતિના ચેરાશી ચઉટામાં પરિભ્રમણું કરાવનાર કુબુદ્ધિ છે, એમ શ્રી સગુરૂના ઉપદેશથી આત્મ સમ્યફ પ્રકાર જાણે છે ત્યારે તે અન્તરની For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy