________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૩) ગૃહસ્થ ગમેતે પંડિત હોય તે પણ તે એક અંશવડે ધ્યાનની દશા પ્રાપ્ત કરી શકે છે, માટે ભેળા જીએ સ્વાર્થસાધક અને ગપગોળા મારનાર એવા બકધ્યાની ગૃહસ્થોથી તેમજ પાખંડીઓના બકધ્યાનથી ચેતતા રહેવું. મનાવા પૂજાવાની અને પૈસા વગેરેની આશાવિનાના અને આગમોને આગળ કરીને ચાલનારા શાન્ત એવા મુનિવરે સંધ્યાનની દશા પ્રાપ્ત કરી શકે છે. બહુ બોલવાથી વા ધ્યાનના નામે ગપ્પાં મારીને આડંબર કરવાથી કંઈ આત્મકલ્યાણું થઈ શકતું નથી. ઉપર્યુક્ત શુભધ્યાનનાં બ્રેશઠ સ્થાનકેને જે જીતે છે તે ધ્યાન કરવા સમથે થાય છે.
જે જીવો થાનના નામથી જાનવરની પેઠે ભટકી ઉઠે છે તે છે, મેહના તાબામાં રહે છે અને જ્ઞાન, દર્શન તથા ચારિત્રાદિ ગુણેની પ્રાપ્તિ કરી શકતા નથી. ધર્મધ્યાન અને શુકલધ્યાનનાં સ્થાન અને ધર્મધ્યાન તથા શુકલધ્યાનનાં આલંબનને વારંવાર સેવવાની હિતશિક્ષા આપનાર અધ્યાત્મજ્ઞાન છે; માટે ભવ્યજીવોએ ધ્યાનની પ્રાપ્તિ માટે અધ્યાત્મજ્ઞાન જેનાથી પ્રાપ્ત થાય એવા સુગુરૂઓ અને શાસ્ત્રોની સદા ઉપાસના કરવી.
શ્રીમદ્ આનન્દઘનજી, આબુપર્વતની ગુફાઓ, મંડળાચલ પર્વ
તની ગુફાઓ, સિદ્ધાચલ, તલાજા, ગિરનાર, ઈડર, તારંગા સિસ વગેરેમાં એકાન્ત સ્થાનમાં રહીને ધ્યાન ધરવા લાગ્યા. ધ્યાનમાં ઉચ્ચ આબુજીના પર્વતમાં તત સમયમાં ગુફાઓમાં યોગીઓ દશા અને ચ
* (બાવાઓ) રહેતા હતા. તેઓ વારંવાર આનન્દઘનજીની મકાર.
મુલાકાત લેતા હતા અને આનન્દઘનજીના મિત્રો બનતા હતા. શ્રીમદ્ આનન્દઘનજી પણ તેમની સાથે અનુભવ વિચારોની સાપેક્ષા દ્રષ્ટિએ આપ લે કરીને તેઓને વીતરાગધર્મને ઉપદેશ દેઈ આનન્દરસમાં રસિક બનાવતા હતા. શ્રીમની પાસે કઈવખત રાત્રીના વખતમાં સર્પો આવીને પડી રહેતા હતા. શ્રીમના અહિંસાના પરિણામની પ્રતિષ્ઠાથી દુષ્ટ પ્રાણુઓ ઇજા કરતા નહોતા. કેઈ કોઈ વારતે આનન્દઘનજીની ગુફાની આગળ સિંહ આવીને કૂતરાની પેઠે પડી રહેતા હતા.
જ્યાં રાત્રીના વખતમાં સિંહની ગર્જના માત્રથી કાયર પુરૂષેનાં હૃદય ફાટી જાય! એવી પર્વતની ટેકરીઓ પર તેઓ ધ્યાનારૂઢ થઇ જગતનું અને શરીરનું ભાન ભૂલી જઈને આનન્દમાં લયલીન રહેતા હતા. તેમની પાસે સિંહાપણું આવીને પડી રહેતા હતા, પણ તેમને ઈજા કરતા રહેતા
For Private And Personal Use Only