________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૩ ) સેહરાગ અને દૃષ્ટિરાગ એ ત્રણ પ્રકાર છે. તેમાં વિષ્ણુશ્રીના ઉપર વિક્રમ યશ રાજાને કામરાગ થયો હતો. દામવકના સસરાનું–પિતાના પુત્રનું ભરણું સાંભળીને એહરાગને લીધે હદય ફાટી ગયું હતું, અને કપિલને દૃષ્ટિરાગ (દર્શનનો રાગ) થવાથી બ્રહ્મદેવલોકમાંથી આવીને પોતાના મતના રાગથી પોતાના શિષ્યોને “આસુરે રમસે ઈત્યાદિ કહ્યું હતું. આ ત્રણે પ્રકારના રાગનું ધ્યાન કરવું તે રાગધ્યાન જાણવું. ૯ અપ્રીતિધ્યાન–અપ્રીતિ એટલે અન્ય ઉપર દ્રોહને અધ્યવસાય અથવા દ્વેષ.-તે ધ્યાન યજ્ઞની શરૂઆત કરાવનારા મધુપિંગલ અને પિપલ વિગેરેને થયું હતું, તથા હરિવંશની ઉત્પત્તિમાં
વરકદેવને થયું હતું. ૧૦ મેહધ્યાન–વાસુદેવના શબને ઉપાડીને છમાસ સુધી ફરનારા
બલભદ્રને થાય છે તે સમજવું. ૧૧ ઈચ્છાધ્યાન–ઈચ્છા એટલે મનમાં ધારેલે લાભ મેળવવાની
ઉત્કટ અભિલાષા, તેનું ધ્યાન તે ઈચ્છાધ્યાન. તે બે માસા સુવર્ણના અથ કપીલને કેટિ સુવર્ણના લાભમાં પણ ઇચ્છાનો
અંત આ નહોતે તેની જેમ સમજવું. ૧૨ મિથ્યાધ્યાન–મિથ્યા એટલે વિપર્યસ્ત (અવળી) દષ્ટિપણે
તેનું ધ્યાન તે મિયા ધ્યાન. તે જમાલિ, ગોવિંદ વિગેરેએ કર્યું હતું. ૧૩ મૂછપ્પન–છ એટલે પ્રાપ્ત થયેલા રાજ્યાદિક ઉપર અત્યંત
આસક્તિ, તેનું ધ્યાન તે મૂછયાન. તે પુત્રોને ઉત્પન્ન થતાં
જ મારી નાખનાર, અથવા ખોડ ખાપણવાળા કરનાર | કનકધ્વજ રાજાને થયું હતું. ૧૪ શંકા ધ્યાન–શંકા એટલે સંશય કરે તેનું ધ્યાન. તે આ
ષાઢસૂરિના અવ્યક્તવાદી શિને થયું હતું. ૧૫ કાંક્ષાધ્યાન–એટલે અન્ય અન્ય દર્શનને હથકી આગ્રહ
અર્થત કાંક્ષા, તેનું ધ્યાન તે કાંક્ષાથાન. તે, હે કપિલ! ત્યાંપણ ધર્મ છે અને અહીં મારા મતમાં પણ ધર્મ છે એમ બેલનારા મરીચિને થયું હતું. ગ્રહીયાન–એટલે આહારદિકને વિષે અત્યંત આકાંક્ષાનું ધ્યાન. તે મથુરાવાસી મંગુસૂરિને તથા વ્રતને ત્યાગ કરનાર કંડરીક રાજાને થયું હતું.
For Private And Personal Use Only