________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪)
પરમાર્થ ને શુભ આર્યભાવ, આપમાં ઉત્તમ હતા, હે પૂજ્ય આત્મ! પવિત્ર ગુરુવર ! શિષ્ય સર્વે વશ હતા. ૯ ભાવ ભરેલા લલિત જેમાં, ગ્રંથ અક્ષર દેહના, શાશ્વત સદા જગમાં હવે, સમભાવીને પ્રભુ સનેહના; મૈત્રી, પ્રમદ, દયા અને માધ્યસ્થ દા દાખવ્યા, એવી અમર ગ્રંથાવલિએ, વિરભા શીખવ્યા. ૧૦ અધ્યાત્મમાં ગુરુપંથ ચાલી, જીવનને ઉજજવલ કર્યું, ગુરુદેવ જીવ્યું ધન્ય કીધું, પ્રેમથી મુજ ઉર ઠર્યું, ભાવનાનાં પુષ્પ અર્પ, આપને અતિ હર્ષમાં, દિનરાત સ્મરણે આવતા, ઉત્સવ કરું પ્રતિવર્ષમાં. ૧૧ તપમાં પ્રતાપી ભાનુ સમ, ગુરુ!નર-નરેન્દ્ર પદે નમે, જ્ઞાન લક્ષ્મી અબ્ધિ સમ, જય, ઋદ્ધિ, નીતિ, ચરણે રમે; સમતા ગુણે હૈયે હતા, વિલસે પ્રમાદ મુખે સદા, વદને મનહર ભાવ ને, બુદ્ધિ-પ્રવીણતાની છટા. ૧૨ આજે જયંતિ બારમી, આદર ધરી ઉજવું અહીં, ગુરુદેવ! હેયે પૂર્વનાં, સ્મરણે કદી વિસરું નહિ, ઉરનાં વિવિધ લઈ ભાવ પુષ્પ, અંજલિ અર્પ” પદે, હેમેન્દ્રના ગુરુદેવ! હૃદયે છે સદા, શિશુ એ વદે. ૧૩
અનુષ્ટ્રભ આધિને તૃતીયા દિને, પ્રાંતિજે શુકલપક્ષમાં, - જયંતિ ગુરુની ચેજી, શ્રદ્ધા ધરીને લક્ષમાં. ૧૪
આજે જયારે પૂર્વનાં
અંજલિ અs
.
For Private And Personal Use Only