________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
ગ્રહણ કરતા આ બાળક અભ્યાસ વધારવા માંડ્યો. દયારામની ગરીઓએ તેમને પ્રેમમા સમજાવ્યા, નર્મદની કવિતાએ પ્રેમ અને શૌર્યની પ્રૌઢતા આણી, દલપતરામની સાદી કવિતાએ જીવનમાં સાદાઇ વર્ષાવી. ભજતા કઠસ્થ કરવાં એ એમના શાખ બન્યા. સ્વામીનારાયણ પથી મેાસાલે અહ્માનંદની વૈરાગ્ય ભાવના પેાષી. એ વૈરાગ્ય ભાવનાએ એ હધ્યમાં ઊંડાં મૂળ નાખ્યાં. સમયાનુસાર શિક્ષણ પ્રથા પ્રમાણે અંબાલાલે ગુજરાતી સાત ધેારણ પસાર કર્યાં. કાવ્ય અને વૈરાગ્ય વચ્ચે ઝુલતા આળકમાં વિચારાનુ મૉંચન થવા લાગ્યું. કવિતાદેવીએ તેને રમણીય જાદુ ચલાવી અંબાલાલને મુગ્ધ કર્યો તે અંતરમાં વાસ કર્યાં. સાદાં પદ રચવાં તે બાળવયને મુખ્ય ક્રમ થયે..
યુવાવસ્થામાં મ્હાલતા અબાલાલના હૃદયમાં વૈરાગ્ય ભાવના તેની પરાકાષ્ઠાએ પહોંચી. તેમાં જળસિંચન કરવા તપસ્વી હીરાઋષિ નામે સ્થાનકવાસી જૈન સાધુનું ન્હાર ગામમાં આગમન થયું. પ્રસગે વધ્યા તે પરિચય વધ્યેા. ભાવના વજ્રલેપ અની. આખરે 'સ'વત ૧૯૫૬ માં શ્રાવણી શુકલપક્ષમાં સ્તંભતીર્થ (ખંભાત) સ્થળસ્થાનકવાસી દીક્ષા ધારણ કરી.
વિશાળ ભારતભૂમિમાં પરિભ્રમણ આયુ. દક્ષિણ હિંદ, ખાનદેશ, માળવા વગેરે સ્થળે વિહાર કરતાં ૧૧ વર્ષ વીતાવ્યાં. વિવિધ ભાષા પર પ્રભુત્વ મેળવ્યું. વિવિધ ભાષામાં વ્યાખ્યાનો આપ્યાં. એ મધુર અને ગંભીર ઉપદેશામૃતનું પાન કરવા જનતા ઉભરાતી. પરંતુ વિચારામાં ભરતી આવતાં આકાશગામી કલ્પના અને વિચારા ઉદ્ભવવા લાગ્યા. તે શંકા નિવારણ અર્થે ગુરુવર વગેરેને પ્રશ્ન કરતા પણ મનનું સમાધાન ન થતુ. વિવિધ સ્થળે પત્રવ્યવહાર આર્યાં ને સ સ્થળે નિરાશા સાંપડી. પરંતુ
For Private And Personal Use Only