________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોતાના વિચારને બંધબેસતા ન થવાથી કઈ ખીજાય છે, કઇ કૃતિ ઉપર હસે છે, કે તેને દોષ કાઢે છે, કેઈ પ્રશંસે છે, અને કઈ કૃતિ અને કર્તાને નિદે છે, પણ દુનિયાના ઈન્સાફને ખાતર કૃતિકારકોએ કૃતિ કરી જ નથી, તે પછી રામાટે વાંચો વિચારધેલા બને છે ?
માણસ પોતાની સગવડતાની ખાતર ઘર બંધાવે છે, અને તેમાં પિતાની અનુકુળતા લક્ષમાં રાખી ગૃહકૃતિ અહ રચના કરે ત્યારે જોનારાએ પોતાની અનુકુળતા ન નિહાળી તેની ટીકા અગર ઉપહાસ્ય કે ઉપેક્ષા કરવા તૈયાર થાય તો ઘર બંધાવનારને તેની પરવા હોય ખરી કે ? આજ જાતની અજ્ઞાનતાએ દુનીયામાં ભેદ બુદ્ધિ પ્રાપ્ત કરી છે અને ખંડન મંડનની શરૂઆત પણ આજ ભાવનાને આભારી છે. ' બીજી વાત એ છે કે, કર્તાએ આ પુસ્તકનું નામ કાવ્યકિરણુવલી રાખેલ છે. કાવ્ય એ શબ્દ કર્તાએ વાપરેલ છે, તે પછી તેના સંબંધમાં પ્રસંગવશાત લખવાની જરૂર પડે છે કે
કાવ્ય-કવિતા કવિનું હદય કિંવા કવિની પિતાની વાણી એ અર્થ થાય છે. અર્થાત્ કવિની પોતાની વાણી અક્ષરરૂપ આકાર ધારણ કરે છે. કાવ્યના ત્રણ પ્રકાર હોઈ શકે. એક પ્રકારનું કાવ્ય એવું હોય છે કે, જેમાં કવિનું હૃદય ટાબ્દરૂપે પ્રગટ થયેલું હેય. બીજું કાવ્ય એવું છે કે
For Private And Personal Use Only