________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉર્ધ્વમાર્ગની સત્ય મુસાફરી, આવીને બતાવી જા, એજ મધુરા સત્ય દેશના, અગમ્ય શબ્દ સુણાવી જા; પ્રેમ ભૂમિપર શાન્તિ વૃષ્ટિને, વ્હાલ કરી વરસાવી જા, વિરહતાપથી શુષ્ક બનેલી, હૃદય ભૂમિ ભીંજાવી જા.
[ચારા અમૃતને !૧૦ ] નવા વર્ષને ” એ કાવ્ય આખું જ વાંચવા જેવું છે. એમાં મનની ચંચળતા બતાવી છે. આપણું મન માંકડાની પેઠે એટલું બધું ચંચળ રહે છે કે તેને અમુક કાર્ય હું ખોટું કરું છું કે ખરૂ કરૂં છું તેને જરાએ વિચાર રહેતું નથી, અને સારાસારને જરાપણ ખ્યાલ કર્યા સિવાય જ્યાં ત્યાં ભ્રમણ કર્યા કરે છે.
કાવ્ય ૧૪મામાં ૮ મી ટૂંક પણ વાંચવા જેવી છે–
બીજાને છાય આપીને, તરૂ સ્વયં તપી રહે, દિનેની ભીડ ભાગવા, યતિ યથા દુખે સહે.
(જેષ્ઠ માસ વર્ણન–૮) વૃક્ષ તથા સાધુપુરૂષ પોતાને ગમે તેટલું દુઃખ પડે તે બધું પિતે સહન કરી લઇ પારકાને સુખ આપવા સદા તત્પર રહે છે, એ બંનેનું સામ્ય અન્ન દર્શાવવામાં આવ્યું છે.
For Private And Personal Use Only