SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર ઉપાય અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનથી દેશમાં શાંતિ પ્રસરી રહે છે, દરેક મનુષ્યને ઉચ્ચ કરવા હોય તે અધ્યાત્મજ્ઞાન ના માર્ગે દોરે, મનુષ્યજન્મ ધારણ કરીને પરમાનંદની ખુમારીમાં હાલવું હોય અને શીતળ થવું હોય તે અધ્યાત્મજ્ઞાનના જ્ઞાતા પુરૂષને સમાગમ કરે. દરેક પુરૂષને સુખની અભિલાષા રહેલી હોય છે અને મનમાં એ વિચાર કરે છે કે–એવું સુખ મેળવીએ કે તે સુખ કદી જાય નહીં. આવું સુખ બાહ્યદષ્ટિથી દેખનારાઓને પ્રાપ્ત થતું નથી, ત્યારે શી રીતે પ્રાપ્ત થઈ શકે. તેને ઉપાય દિવ્યજ્ઞાનના સ્વામી શ્રી વિરપ્રભુ કહે છે કે—– અધ્યાત્મજ્ઞાનથી આત્મસુખની પ્રાપ્તિ થાય છે. પ્રથમ આ મજ્ઞાન કરવાથી આત્માની શકિત જણાય છે. જે આત્માને જાણે નહીં તે આત્મસુખને કદી જાણી શકે નહીં. અધ્યાત્મજ્ઞાની આત્મસુખને મેળવે છે, રબ્બરની ગાડીમાં ફરનારા તથા આગળ પાછળ ઉઘાડી તરવારે લેઈ ધાએ ચાલે છે એવા રાજાના મનમાં જે દુઃખની લાગણીઓ પ્રગટે છે. તેના હદયમાં શકના, મેહના, માયાના, ભયના અભિમાનના દીલગીરીના વિચારે સયાસપ પેશી જાય છે. અને તેને જરામાત્ર પણ નિરાંત મળતી નથી, ઘડીમાં ખુશી અને ઘડીમાં લાલચેળ બની જાય છે. તેના મુખ ઉપર આનંદની છાયા દેખાતી નથી. તેનું કારણ શું હશે, વિચાર કરતાં માલુમ પડશે કે, અધ્યાત્મજ્ઞાન અને અધ્યાત્મચારિત્રની ખામી છે. રાજમાં, દેશમાં, કુટું. બમાં, જ્ઞાતિમાં અશાંતિ દેખવામાં આવે છે. પણ અધ્યાત્મશાસ્ત્રજ્ઞાનને ફેલાવો કરવામાં આવે તે ખાત્રીથી સમજશે કે, અશાંતિનું સામ્રાજ્ય ઘણા ભાગે નષ્ટ થએલું જોવામાં આવશે. મનુષ્ય દેરાસરમાં જાય છે, ઉપાશ્રયમાં જાય છે, લાંબા લાંબા ચાંલ્લા કરે છે, રાત્રી દીવસ ધર્મની ક્રિયાઓ કરે છે, સાધુઓ થઈ કેટલાક સાધુકિયા પાળે છે, પણ For Private And Personal Use Only
SR No.008507
Book TitleAdhyatma Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1903
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy