SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir परमारथ पंथ जे कहे, ते रंजे एकतंतरे; व्यवहारे लख जे रहे, तेहना भेद अनंतरे. धर्म ।। ६ ॥ व्यवहारे लखे दोहिला, काइ न आवे हाथरे शुद्धनय थायना सेवतां, नवि रहे दुविधा साथरे. धर्म ॥७॥ એ પ્રમાણે નિશ્ચયનય પ્રમાણે તત્વજ્ઞાનને પ્રાપ્ત કરી વર્તનને ઉપદેશ કરનાર શ્રીઆનંદઘનજી મહારાજા નમિનાથના સ્તવનમાં આગમપંચાંગીને માન્ય કરી સર્વ જીવિને ઉપદેશ આપે છે કે, પંચાંગી અનુસારે અધ્યાત્મજ્ઞાન તથા ચારિત્ર અંગીકાર કરે. પંચાગીને છેદ કરે નહી, એમ કહે છે. चूरणी भाष्य सूत्र नियुक्ति, वृत्ति परंपर अनुभवरे; समय पुरुषना अंग कह्याए, जे छेदे ते दुरभव्यरे. षद् ८ પૂર્વધરકૃત છૂટક પદની વ્યાખ્યા તે ચૂર્ણ, સૂત્રોક્તાથને ભાષ્ય કહે છે. ગણધરાદિકૃત સૂત્રવચન માત્રને સૂત્ર કહે છે. પૂર્વધારીકૃત વચનને નિયંતિ કહે છે. વૃત્તિને ટીકા કહે છે. પરંપરા અનુભવ તે ગુરૂસંપ્રદાયથી યથાર્થ સ્મૃતિપૂર્વક જ્ઞાન; એમ એ સિદ્ધાંતરૂપ પુરુષનાં છ અંગ છે તે કલ્યાણકારી છે. તે છ અંગને જે પ્રાણી છેદે તે દુર્ભ. વ્ય જાણુ. આ ઉપરથી સુજ્ઞ વિચાર કરશે કે, શ્રી આનંદઘનજી સૂત્રના અનુસારે ભવભયથી ડરીને અધ્યાત્મ તત્ત્વનું સેવન કરી અનંત સુખ ભેગવનાર હતા. પ્રસંગે પાત અત્ર શ્રીઆનંદઘનજીના વચનેની સમીક્ષા લેશમાત્ર કરી મૂળ અધ્યાત્મજ્ઞાનનું વર્ણન કરું છું. અનેક પ્રકારની ઉપાધિમાં પણ જે આત્મજ્ઞાન થયું હોય, તે મનુષ્ય ચંચલ દશાથી વિહળ થતું નથી. આત્મજ્ઞાનની શક્તિથી મનુષે નવાં કર્મ આવતાં રોકી શકે છે. આત્મજ્ઞાની આત્મશ્રદ્ધાથી પુત્રલશ્કને એંઠરૂપ ગણે છે અને તેથી તે પુદ્ગલના બનેલા For Private And Personal Use Only
SR No.008507
Book TitleAdhyatma Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1903
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy