SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir રહેલા આત્મા કના ચેગે પુનર્જન્મ કરે છે એમ સા ખીતી થઈ ચુકી છે. હાલના વખતમાં, મીસીસ એની એસન્ટ એક અંગ્રેજ વિદુષી છે તે પણ આત્માને નિત્ય માની પુનર્જન્મની વાત સિદ્ધ કરે છે. કેટલાક મનુષ્યેાને જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને તેથી તે પૂર્વ જન્મની વાત જાણી શકે છે. ક્ષણીકવાદને અંગીકાર કરે છે તે પણ બુદ્ધધર્મનો પ્રકાશક ગાતમ બુદ્ધ પોતાના ભિક્ષુકોની આગળ કહે છે કે, મને આ શરીરે ખીલે વાગ્યા છે તેનુ કારણ કે મેં ઘણા ભવપૂર્વે એકના પગ વિધ્યા હતા, આથી પણ સિદ્ધ થઈ ગયુ કે આત્મા નિત્ય છે, એમાં કશેા સંદેહ નથી. આત્માનુ` નિત્યત્વ સિદ્ધ થતાં અને તેની શ્રદ્ધા થતાં કનુષ્યો પોતાના જન્મ સારા ખાટા શાથી થાય છે, તે ઉપર વિચાર દોડાવે છે. એક રાજાના કુળમાં જન્મે છે. એક ભિક્ષુકના કુળમાં જન્મે છે. એક માતાના બે પુત્રા સાથે ઉત્પન થએલામાં પણ એક મૂખ અને એક વિદ્વાન બને છે. એક સુખી દેખાય છે, અને એક દુ:ખી દેખાય છે, એક મનુષ્યના અવતાર લે છે, એક આત્મા પશુના અવતાર લે છે, એક આત્મા ઇચ્છિત પદાર્થાની અનાયાસે પ્રાપ્તિ કરે છે. અને એકને ખાવા માટે અન્નપણુ મળતું નથી, આનું બાહ્યકારણે કઇ પણ દેખાતું નથી, ત્યારે અનુમાન જ્ઞાનથી વિચારતાં પેાતાનેજ માલુમ પડે છે કે એનુ` કારણુ કંઇ અષ્ટ છે અને તે અદૃષ્ટ કહે કે પુણ્ય પાપરૂપ કેમ કહેા, વા શુભાશુભ આંધેલા પ્રારબ્ધ કહે વા તેને કિસ્મત કહા વા તેને શુભાશુભ પ્રકૃતિ કહા પણ પુણ્ય પાપ અવશ્ય માનવાં પડે છે, જયારે આપણે અનુમાનથી પુણ્ય પાપતવની સિદ્ધિ કરીએ છીએ ત્યારે સર્વ પદાર્થના જ્ઞાની. શ્રી સર્વજ્ઞ વીર પ્રભુ તે કહે છે કે-પુણ્ય અને પાપ તત્ત્વ છે. અને પુણ્યપાપનું અહુ સૂક્ષ્મ વાણીથી જણાવે છે. જ્યારે પુણ્યપાપની સિદ્ધિ આ પ્રમાણે થઇ તે પ્રશ્ન ઉઠશે કે-પુણ્ય શાથી થતું હશે For Private And Personal Use Only
SR No.008507
Book TitleAdhyatma Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1903
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy