________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦) કઠણ પદાર્થ ખાવાં નહીં. શરીર ઉપર મમતા રાખવી નહીં. બ્રહ્મચર્ય વ્રત પાળવું અને વીરાસને બેસી ધર્મ ધ્યાનના ચાર પાયાનું અવલંબન કરવું. આત્મ સ્વરૂપ ચિંતવન કરવું. એમ દરેજ અભ્યાસ કરતાં મનની સ્થિરતા થશે અને આત્મતિ જાગશે. નિદ્રાને પણ ત્યાગ કર. અંતરાત્માનું સ્વરૂપ ચિંતવન કરવું અને આત્મા અને પરમાત્માને મુકાબલો કરે તથા એકતાભાવવી. શ્વાસે શ્વાસ જેમ જેમ વધારે લેવામાં આવે છે તેમ મનની ચંચળતા થાય છે, માટે શ્વાસોશ્વાસ પ્રાણને રોકી ધ્યાન કરવું. છેવટ હળવે હળવે ધાસોશ્વાસને અનુકમે પોતાના સ્થાનમાં સ્થાપન કરો. જે વાયુ સ્વસ્થાનમાં પ્રવેશ કરે નહીં તો મનની વિકલતા થઈ જાય છે. સંસારી અવ
થામાં રહીને ધ્યાન કરી શકાતું નથી. તે તે કેવળ રાવ સંગ ત્યાગી વૈરાગી ફક્ત આત્માથી મુનિ પામી શકે છે અને ધ્યાન દ્વારા નિવૃત્તિપદ પામી શકે છે. હાલ અહિંથી સાક્ષાત્ મુક્તિપદ નથી, તે પણ ધ્યાન થકી ઘણું કર્મ ખપાવી છેડા ભવમાં મુક્તિપદ પામે છે. પણ યાદ રાખવું કે આત્મજ્ઞાનીઓ જનાજ્ઞા વિરૂદ્ધ ચાવતા નથી. તે તે વ્યવહાર અને નિશ્ચય માર્ગમાં રહીને સ્વહિત કરે છે. એ ધ્યાનથી અનહદ સુખ ઉત્પન્ન થાય છે અને આગ શેક વિગ મેહનો નાશ થાય છે.
www.kobatirth.org
For Private And Personal Use Only