________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩) શુદ્ધ સ્યાદ્વાદ રીતે આત્મતત્ત્વ જાણે તેને ખપ કરવા ધારે તો સંસારમાંથી કરી શકશે. જ્યાં સુધી મમતા મોહ મત્સર મદ માયા માન છે, ત્યાં સુધી સંસારે છે. અને જ્યારે તેને ત્યાગ કરવા આત્મા ધારશે ત્યારે ભવપાર છે. યાદ રાખવું કે હું અને મન આ પ્રત્યય બ હિરાભપાડ્યું છે ત્યાં સુધી ઉઠે છે. અને જ્યારે આત્મા આત્માના સ્વરૂપને દ્રઢ અભ્યાસ ઉપયોગ દ્વારા કરે છે, ત્યારે હું અને મમ એ બે પ્રત્યય પુદ્ગલ સંબંધી થતા હતા તેને નાશ થઈ આત્મા ઉપર થાય છે. તે કેવી રીતે તે બતાવે છે. હું એટલે કોણ? જ્ઞાનદર્શન ચારિત્ર ગુણ વિશિષ્ટ આત્મા. હું એ શબ્દથી આ
ત્મા હું એક છું એમ સૂચવન થાય છે. આત્માના આ સંખ્યાત પ્રદેશવાન્ હે સ્ફટિકની નિર્મળ શુદ્ધ અવિનાશી અહં–હું એક આત્મા અજ અવિનાશી છું. ત્યારે વિચાર થાય કે હું એક છું ત્યારે આ શરીર દેખાય છે તે કોણ છે? એમ પ્રશ્ન ઉઠતાં નિરધારે કેશરીર એ તે પુગળ દ્રવ્ય છે. મનુષ્યાકાર એ પુરુગળ દ્રવ્યનું પરીણમન થયું છે. ત્યારે વળી વિચારે કે મનુષ્યાકાર પુદગળામાં આત્મા શા કારણથી રહ્યા છે? ત્યારે સમાધાન થાય કે એ આત્મામાં પૂર્વભવમાં કઈ શરીર ધારણ કરી કર્મ ઉપાર્જન કર્યું છે, તે કર્મના ચગે મનુષ્યાકાર પુદગળમાં તેની સ્થિતિ થઈ છે. ત્યારે વળી વિચારે
www.kobatirth.org
For Private And Personal Use Only