________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાસક્ષેપ મંત્રવાની વિધિ અનામિકા આંગળીથી પહેલાં તો વાસના થાળમાં વચ્ચે ત્રણ આંટા દક્ષિણાવર્તના આકારે કરીને, ઉપર સ્વસ્તિક અને તેની મધ્યમા ઓં ને આલેખી (૧) પૂર્વથી પશ્ચિમ સુધી (૨) દક્ષિણથી ઉત્તર સુધી (૩) ઇશાનથી નૈઋત્ય સુધી (૪) અને અગ્નિથી વાયવ્ય સુધી, એમ ચાર-રેખાઓ કરી આઠ
આરાવાળું ચક્ર આલેખે. તેના મધ્યમાં મૂળબીજ હી ને આલેખી, છેડેથી ત્રણ આંટા દક્ષિણાવર્તના આકારે કરી આવર્તને છેડે ક્રીં ને આલેખી શ્રી ની સામે પૂર્વ દિશામાં શ્રી
નમો અરિહંતાણં ની સ્થાપના મનથી જ મંત્રાક્ષરોનું ચિત્તવન કરતો કરે, પછી તે જ રીતે અગ્નિ, દક્ષિણ, નૈઋત્ય અને પશ્ચિમમાં અનુક્રમે ઓ શ્રી નમો સિદ્ધાણં થી ઓ હ્રીં નમો લોએ સવ્વસાહૂણં સુધીનાં ચાર પદોની સ્થાપના ચિન્તવે, વાયવ્યમાં ઓ હ્રીં નમો દંસણમ્સ, ઉત્તરમાં ઓ હ્રીં નમો નાણસ્સ અને ઇશાનમાં ઓ શ્રી નમો ચારિત્તસ્મ પદની સ્થાપના મનથી જ કરે, પછી આચાર્ય સૂરિમંત્રને, ઉપાધ્યાય પાઠકમંત્રને અને તે સિવાયના બીજા વર્ધમાનવિઘાને સ્મરણ કરતા સાત મુદ્રાઓથી વાસને સ્પર્શ
કરે.
ઇતિ વાસક્ષેપ મંત્રવાની વિધિ
૨૮
For Private And Personal Use Only