________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
ત્રીજે સરગે મધ્યાયુ ધરી, બારમે ભવે શ્વેતાંબીપુરી પૂરવ લાખ ચુમ્માલીશ આય, ભારદ્વીજ ત્રિદડીક થાય....૫ તેરમે ચોથે સર્ગે રમી, કાળ ઘણો સંસારે ભમી ચઉદને ભવ રાજગૃહી જાય, ચોત્રીસ લાખ પૂરવનું આય .. ૩ થાવર વિપ્ર ત્રિદંડી થયો, પાંચમે સર્વે મરીને ગયો સોળમે ભવ કોડ વરસનું આય, રાજકુમાર વિશ્વભૂતિ થાય....૭ સંભૂતિમુનિ પાસે અણગાર, દુક્કર તપ કરી વરસ હજાર માસખમણ પારણે ધરી દયા, મથુરામાં ગોચરીએ ગયા .. ૮ ગાયે હણ્યા મુનિ પડિયા વશા, વિશાખાનંદી પિરિયા હસ્યા ગોઇંગે મુનિ ગર્વે કરી, ગન ઉછાળી ધરતી ધરી....... ૯ તપ બળથી હોજો બળ ઘણી, કરી નિયાણું મુનિ અણસણી સત્તરમે મહાશુકે સુરા, શ્રી શુભવીર સત્તર સાગરા ..... ૧૦
(ઢાળ ચોથી) અઢારમે ભવે સાત, સુપન સુચિતસતિ, પોતનપુરીયે પ્રજાપતિ રાણી મૃગાવતી તસ સુત નામે ત્રિપૃષ્ઠ, વાસુદેવ નીપજ્યા, પાપ ઘણું કરી, સાતમી નરકે ઉપન્યા.
વીશમે ભવ થઈ સિંહ, ચોથી નરકે ગયા, તિમાંથી ચવી સંસારે, ભવ બહુલા થયાં બાવીશમે નરભવ લહી, પુણ્ય દશા વર્યા, ત્રેવીશમે રાજધાની, મૂકાએ સંચર્યા ......... ૨
૧૧૮
For Private And Personal Use Only